અયોધ્યાઃ રામ મંદિર નિર્માણ શરૂ થયા બાદ રામ મંદિર પરિવરને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ટ્રસ્ટે લોકો પાસે ડિઝાઇન અને આઇડિયા માગ્યા છે. 70 એકરમાં બનનાર રામ મંદિર પરિસરના નિર્માણમાં પસંદગીની ડિઝાઇનને લાગૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ પાછલા સપ્તાહે એક બેઠક બાદ જનતા પાસે પરિવરને વિકસિત કરવા માટે ડિઝાઇન આમંત્રિત કરી છે.


પરિસરમાં પુષ્કર્ણી, યજ્ઞ મંડપમ, અનુષ્ઠાન મંડપમ, કલ્યાણા મંડપમનું નિર્માણ થશે. તેના માટે આઇડાય અને ડિઝાઇન માગવામાં આવી છે. 


જમ્મુ-કાશ્મીરઃ  DDC ચૂંટણીની જાહેરાત, પ્રથમવાર પશ્ચિમી પાકિસ્તાનના શરણાર્થી આપશે મત  

ટ્રસ્ટે કહ્યું કે, આ સૂચન પરિસરના વિભિન્ન પાસાઓ જેવા કે ધાર્મિક યાત્રા, સંસ્કૃતિ, વિજ્ઞાન વગેરેને સમાવેશી કરતા હોવા જોઈએ. તેમાં સંબંધિત તમામ જાણકારી ટ્રસ્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સૂચનોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરવાનો છેલ્લો નિર્ણય ટ્રસ્ટનો હશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube