લખનઉ: 1992ના બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો આપ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કોઈ પૂર્વ નિયોજિત ષડયંત્ર નહતું. આ મામલે તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના ચુકાદા પર સતત લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. કેસમાં આરોપી રહેલા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સહિત અનેક દિગ્ગજોએ કોર્ટના આ ચુકાદાને જીત ગણાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબરી વિધ્વંસ કેસ: તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યું-અચાનક ઘટના ઘટી હતી


ચુકાદા બાદ અડવાણીની પહેલી પ્રતિક્રિયા
સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા બાદ લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે હું Babri Masjid Demolition Case માં વિશેષ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાનું હ્રદયથી સ્વાગત કરું છે. આ ચુકાદાથી રામ જન્મભૂમિ આંદોલન પ્રતિ મારા વ્યક્તિગત અને ભાજપના વિશ્વાસ તથા પ્રતિબદ્ધતાની જાણ થાય છે. 


Babri Masjid Demolition Case: તમામ 32 આરોપીઓ નિર્દોષ જાહેર, ''ફોટાથી કોઈ દોષિત ન થઈ જાય'

રક્ષામંત્રી રાજનાથ સિંહે પાઠવી શુભેચ્છા
દેશના રક્ષામંત્રી અને પૂર્વ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે લખનઉની વિશેષ કોર્ટ દ્વારા બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં શ્રી લાલકૃષ્ણ અડવાણી, શ્રી કલ્યાણ સિંહ, ડો.મુરલી મનોહર જોશી, ઉમાજી સહિત 32 લોકોને કોઈ પણ ષડયંત્રમાં સામેલ ન હોવાના નિર્ણયનું હું સ્વાગત કરું છું. આ નિર્ણયથી સાબિત થયું છે કે ભલે મોડું પણ ન્યાયની જીત થઈ છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube