શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ત્રિરંગા વિશે આપેલા નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. ભાજપના કાર્યકરોએ સોમવારે શ્રીનગરમાં મહેબૂબા મુફ્તી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. કૂપવાડાના ભાજપ કાર્યકરો શ્રીનગરના મશહૂર લાલ ચોક પર પહોંચ્યા અને તિરંગો લહેરાવવાની કોશિશ કરી. ભાજપના ચાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી. જો કે પોલીસે ત્યારબાદ તેમને છોડી મૂક્યા. જમ્મુમાં પણ મહેબૂબા મુફ્તીના નિવેદન વિરુદ્ધ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી. મહેબૂબા મુફ્તીના નિવેદન વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયો. આ ઉપરાંત જમ્મુમાં પીડીપી ઓફિસ બહાર ભાજપના કાર્યકરોએ ત્રિરંગો ફરકાવ્યો. વંદે માતરમ અને ભારત માતાની જયના નારાથી વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી ટાણે મુશ્કેલીમાં મૂકાયા ચિરાગ પાસવાન!, લાગ્યો મોટો આરોપ, જાણો શું છે મામલો


બિરલા પરિવાર સાથે વિદેશમાં દુર્વ્યવહાર, અનન્યાએ ટ્વીટ કરીને કહ્યું- 'અમને રેસ્ટોરન્ટમાંથી બહાર કાઢી મૂક્યા'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube