રાયપુરઃ કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા ભૂપેશ બધેલ છત્તાસગઢના નવા મુખ્યમંત્રી બની ગયા છે. સોમવારે સાંજે તેમણે રાયપુરમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના સોગંધ લીધા છે. છત્તીસગઢના રાજ્યપાલનો કાર્યભાર સંભાળતા આનંદીબેન પટેલે તેમનો સોગંધ લેવડાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂપેશ બધેલે રાયપુરમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના સોગંધ લીધા હતા. તેમની સાથે ટીએસ. સિંહ દેવ અને તામ્રધ્વજ સાહુએ પણ મંત્રીપદના સોગંધ લીધા છે. છત્તીસગઢમાં કોંગ્રેસે પ્રથમ વખત વિજયની સાથે સરકાર બનાવી છે. ભૂપેશ બધેલે રવિવારે રાજભવન પહોંચીને નવી સરકાર રચવા માટે દાવો રજૂ કર્યો હતો. 


મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવું માફ, કમલનાથે શપથ લીધા પછી તરત જ દેવામાફીની ફાઈલ પર કર્યા હસ્તાક્ષર


મુંબઈ : અંધેરીમાં આવેલી ESIC કામગાર હોસ્પિટલમાં ભીષણ આગ, અસંખ્ય લોકો ફસાયાની આશંકા


વરસાદના કારણે સમારોહ સ્થળ બદલાયું
છત્તીસગઢમાં પડી રહેલા સતત વરસાદને કારણે નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહનું સ્થાન બદલવું પડ્યું હતું. અગાઉ આ કાર્યક્રમ સાયન્સ કોલેજના મેદાનમાં આયોજિત કરાયો હતો. ત્યાર બાદ તેનું સ્થાન બદલીને જૂનેજા ઈન્ડોર સ્ટેડિયમમાં રાખવામાં આવ્યું હતું. રાજ્યના હવામાન વિભાગ અનુસાર, પેથાઈ તોફાનને કારણે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આગામી 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની અને વાદળ છવાયેલા રહવાની આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...