પટનાઃ બિહારની રાજનીતિમાં તે સમયે હલચલ શરૂ થઈ ગઈ જ્યારે આરજેડી નેતા શ્યામ રજકે જેડીયૂ ધારાસભ્યોને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, જેડીયૂના 17 ધારાસભ્યો આરજેડીના સંપર્કમાં છે. પરંતુ તેમના આ દાવા પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, કોઈપણ આવો દાવો કરે છે, તે પાયાવિહોણો છે. તેમાં કોઈ દમ નથી. આવી કોઈ વાત નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી નીતીશ કુમાર બુધવારે પટનાના ઇકો પાર્કમાં બાળકો માટે બનાવવામાં આવી રહેલા રાજધાની જળાશયનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવા વર્ષમાં પટના બિહારના બાળકો માટે આ એક ભેટ હશે. તેમણે જણાવ્યું કે, 4 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ દરમિયાન તેમને શ્યામ રજકના નિવેદન પર સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર નીતીશ કુમારે કહ્યુ કે, જે લોકો આ દાવો કરી રહ્યાં છે તે પાયાવિહોણા અને બકવાસ છે. 


કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય, દેશમાં બનશે બે મોટા ટ્રેડ કોરિડોર, રોજગારી માટેની આ યોજનાને પણ મળી મંજૂરી

શ્યામ રજકના આ દાવા પર જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ વાતમાં કોઈ તથ્ય નથી. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, આ વાત પાયાવિહોણી છે. તેમાં કોઈ દમ નથી. આવી કોઈ વાત નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube