નવી દિલ્હીઃ દિલ્હી હિંસા મામલામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ આમને-સામને છે. કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દિલ્હીમાં છેલ્લા બે દિવસથી શાંતિ છે. ધરપકડ થઈ રહી છે, ષડયંત્ર કરનાર ઉઘાડા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, 'દિલ્હીના મુખ્યપ્રધાન હિંસાગ્રસ્ત વિસ્તારમાં જવાની જગ્યાએ તે વિસ્તારમાં મૃત્યુ પામનાર લોકોનો ધર્મ જણાવી રહ્યાં હતા. કાલે સોનિયા ગાંધીએ પત્રકાર પરિષદ કરી અને આજે રાષ્ટ્રપતિના દરવાજા પર પહોંચ્યા અને ત્યાં ભાજપ પર દોષારોપણ કરી રહ્યાં છે.'


કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આરોપ લગાવ્યો કે બે દિવસની હિંસા નથી બે મહિનાથી ઉશ્કેરવામાં આવી રહ્યાં છે. સીએએ પાસ થયા બાદ રામ લીલા મેદાનમાં સોનિયા ગાંધીજીએ રેલી કરી જેમાં તેમણે કહ્યું હતું કે, આ આર-પારની લડાઈ છે, નિર્ણય લેવો પડશે આ પાર કે તે પાર. ઉશ્કેરવાનું કામ ત્યાંથી શરૂ થયું હતું. 


દિલ્હી હિંસા: ચાંદબાગ નાળામાં લાશ ફેંકવાનો VIDEO સામે આવ્યો, ત્યાંથી જ મળ્યું હતું IB કર્મચારીનું ડેડબોડી


આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનના મકાનની છત પર મળેલા પથ્થર, પેટ્રોલ બોંબ, ગુલેલનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, તાહિરના ઘરે તોફાનોની તૈયારીનો સામાન મળ્યો છે. આ લોકો જિન્ના વાળી આઝાદી, 100 કરોડ પર 15 કરોડ ભારે, આસામને અલગ કરવું પડશે, આ બધા ઉશ્કેરીજનક ભાષણ થયા હતા. પોલીસ પર હુમલો થયો, પરંતુ કોંગ્રેસ અને આપ ચુપ છે. અમે આવી હલ્કી રાજનીતિની ટીકા કરીએ છીએ. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...