નવી દિલ્હી: ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું આજે દિલ્હી સ્થિત એમ્સમાં નિધન થયું. એમ્સ તરફથી બહાર  પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ અરુણ જેટલીનું નિધન શનિવારે બપોરે 12:07 વાગે થયું. અરુણ જેટલીને શ્વાસમાં તકલીફ થવાના કારણે 9મી ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ્સના વરિષ્ઠ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં હતાં. છેલ્લા દિવસોમાં જેટલીને એકસ્ટ્રાકારપોરલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બલૂન(IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતાં. તેમની ઉંમર 66 વર્ષ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું નિધન, કાલે બપોરે 2 વાગે થશે અંતિમ સંસ્કાર


ભાજપે છેલ્લા એક જ વર્ષમાં અરુણ જેટલી સહિત પોતાના 7 દિગ્ગજ નેતાઓ ગુમાવ્યાં. જેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પાર્રિકર સામે છે. 


બલરામજી દાસ ટંડન (નિધન- 14 ઓગસ્ટ 2018)
છત્તીસગઢના પૂર્વ રાજ્યપાલ  બલરામજી દાસ ટંડનનું 14મી ઓગસ્ટ 2018ના રોજ નિધન થયું હતું. તેમની ઉંમર 90 વર્ષ હતી. તેમને બેચેનીની ફરિયાદ બાદ ડો.બી આર આંબેડકર સ્મારક હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં બાદમાં તેમનું નિધન થયું. ટંડન જનસંઘના સંસ્થાપક સભ્યોમાંથી એક હતાં અને જુલાઈ 2014ના રોજ છત્તીસગઢના રાજ્યપાલ બન્યાં હતાં. 


જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...