નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan) ના રાજકારણમાં વાયરલ ઓડિયોકાંડને લઈને આજે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં અને ત્યારબાદ બસપા ચીફ માયાવતી (Mayawati) એ પણ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. માયાવતીએ રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએસપી (BSP) પ્રમુખ માયાવતીએ કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પહેલા પક્ષપલટા કાયદાનો ખુલ્લેઆમ ભંગ કર્યો અને ત્યારબાદ સતત બીજીવાર દગાબાજી કરીને પાર્ટીના ધારાસભ્યોને કોંગ્રેસમાં સામેલ કરાવ્યાં અને હવે જગજાહેર ફોન ટેપ કરાવીને વધુ એક ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કામ કર્યું છે. 


બીએસપી પ્રમુખે કહ્યું કે આ પ્રકારે રાજસ્થાનમાં સતત જારી રાજકીય ગતિરોધ, આપસી ઉથલપાથલ તથા સરકારી અસ્થિરતાના હાલાતને રાજ્યપાલે ધ્યાનમાં લઈને ત્યાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરવી જોઈએ. જેથી કરીને રાજ્યમાં લોકતંત્રની વધુ દુર્દશા ન થાય. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube