પટણા: બિહાર (Bihar) ના પાટનગર પટણા (Patna) ના જક્કનપુર વિસ્તારમાં લૂટફાટ દરમિયાન અપરાધીઓએ ટેક્સટાઈલ વેપારી હરિહર પ્રસાદ(72)ની ગોળી મારીને હત્યા કરી દીધી. સોમવારે સવારે 10.50 વાગે અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. ઘટના સમયે વેપારી પતોાની એસકે ટેક્સટાઈલ્સ નામની દુકાનમાં બેઠા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાના પ્રત્યક્ષદર્શી રણવિજયે જણાવ્યું કે સવારનો સમય હતો. હરિહરપ્રસાદ દુકાનના કાઉન્ટર પર બેઠા હતાં. તે ગોદામમાં હતો. તે સમયે જ બે અપરાધીઓ  દુકાનમાં ઘૂસ્યા અને પૈસા આપો પૈસા આપો તેમ કહીને દે ધના ધન ગોળીઓ હરિહર પ્રસાદ પર છોડી હતી. ત્યારબાદ અપારધીઓ કેશ કાઉન્ટરમાં રાખેલા બધા પૈસા લઈને ભાગી ગયા હતાં. રણવિજયે કહ્યું કે અપરાધીઓએ પોતાના ચહેરા પણ ઢાંકેલા નહતાં. જો અપરાધીઓ તેની સામે આવે તો તરત ઓળખી શકશે. જો કે આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. 


જુઓ હત્યાનો લાઈવ VIDEO



હરિહર પ્રસાદને 2 પુત્ર અને 3 પુત્રીઓ છે. બંને પુત્રો ધંધામાં મદદ કરે છે. 15વર્ષથી હરિહર પ્રસાદ મોસ્કિટો નેટ અને ગરમ કપડાંનો વેપાર કરી રહ્યાં હતાં. લગન અને મહેનતથી વેપાર દેશના બીજા રાજ્યોથી લઈને નેપાળ સુધી ફેલાવેલો હતો. પરંતુ જે રીતે આ ઘટનાને અંજામ અપાયો છે તે જોતા હવે બીજા વિસ્તારના બીજા વેપારીઓમાં પણ દહેશતનો માહોલ ચે. 


I