મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી બગડતા હાલાત વચ્ચે રાજ્ય સરકારે રસીની અછતને લઈને ફરિયાદ કરી છે અને કેન્દ્ર પર રસીની આપૂર્તિ ન કરવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે મહામારીના આ કપરા સમયમાં કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારનો સહયોગ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર અને રાજ્યએ મળીને મહામારી સામે લડવું પડશે
એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે 'કેન્દ્ર સરકાર મહામારીના આ કપરા સમયમાં રાજ્ય સરકાર સાથે સહયોગ કરી રહી છે. આપણે બધાએ એકજૂથ થઈને આ જોખમ સામે લડવું પડશે. રાજ્ય અને કેન્દ્ર બંનેએ સાથે આવવું પડશે અને મહામારી સામે લડવાની રીત શોધવી પડશે.'


'મોબાઈલમાં ખોવાયેલી' યુવતીએ વૃદ્ધ દંપત્તિ પર કાર ચડાવી દીધી, બંનેના મોત, CCTVમાં ઘટના કેદ


ડો.હર્ષવર્ધને  લગાવ્યો હતો નિષ્ફળતા છૂપાવવાનો આરોપ
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને મહારાષ્ટ્ર અને કેટલાક અન્ય રાજ્યો પર બુધવારે આકરા પ્રહાર કર્યા અને તેમના પર પાત્રતા ધરાવનારા પૂરતી સંખ્યામાં લાભાર્થીઓને રસી આપ્યા વગર તમામ માટે રસીની માગણી કરીને લોકોમાં દહેશત ફેલાવવાનો અને પોતાની 'નિષ્ફળતાઓ' છૂપાવવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રસીની કમીને લઈને મહારાષ્ટ્રના સરકારી પ્રતિનિધિઓના નિવેદન બીજુ કઈ પરંતુ વૈશ્વિક મહામારીના પ્રસારને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારની વારંવારની નિષ્ફળતાઓથી ધ્યાન ભટકાવવાની કોશિશ છે. 


'મોબાઈલમાં ખોવાયેલી' યુવતીએ વૃદ્ધ દંપત્તિ પર કાર ચડાવી દીધી, બંનેના મોત, CCTVમાં ઘટના કેદ


Corona Update: દેશભરમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, એક જ દિવસમાં 1.26 લાખથી વધુ નવા કેસ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube