ઝી મીડિયા/બ્યૂરો :ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri 2020) નો પ્રારંભ આ અઠવાડિયામાં 25 માર્ચ, બુધવારથી થઈ રહ્યો છે. બુધવારે મા દુર્ગાના પૂજાનો પ્રથમ દિવસ એટલે કે પહેલી નવરાત્રિ હશે. 25 માર્ચના રોજ કળશ સ્થાપના કરવામાં આવશે. તેના બાદ આગામી નવ દિવસ સુધી માતાના વિવિધ રૂપોનું પૂજન કરવામા આવશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર મા દુર્ગા નાવડી પર સવાર થઈને આવનાર છે. માનું નૌકા વિહાર કરીને આવવું બહુ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ માતા નૌકા વિહાર પર સવાર થઈને આવે છે, તો સર્વસિદ્ધ યોગ બને છે.


Video : ઝીણામાં ઝીણી કાળજી રાખ્યા છતા અમદાવાદની આ યુવતીને થયો Corona


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 9 દિવસની છે. એટલે કે, એક પણ દિવસ ઓછો નહિ. જ્યારે પણ 9 દિવનસી નવરાત્રિ હોય છે, તેને શુભતા અને ખુશહાલીનું પ્રતિક માનવામા આવે છે. 


આવામાં ક્યાંથી કોરોના જશે? ગુજરાતમાં લોકડાઉન, છતાં વહેલી સવારે લોકો મોર્નિંગ વોક પર નીકળ્યાં...

વર્ષમાં બે વાર નવરાત્રિ આવે છે, જેમાં ચૈત્ર નવરાત્રિ ગરમીની સીઝનની શરૂઆતમાં આવે છે. તેમાં ઉપવાસ રાખીને માતાના 9 સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર