બેંગ્લુરૂ : પોલીસે કર્ણાટકનાં ચામરાજનગર જિલ્લામાં એક મંદિરનાં પ્રસાદમાં ઝેર ભેળવવાની ઘટના અંગે બુધવારે એક સ્થાનિક મહંત તથા ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી છે. તેમણે મેનેજમેન્ટની છબીને નુકસાન પહોંચાડવા અને મંદિરનું નિયંત્રણ પ્રાપ્ત કરવાનાં પ્રયાસમાં શ્રદ્ધાળુઓની હત્યાનું કાવત્રુ રચવાનાં આરોપમાં ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરમાં મધરાત્રે રાષ્ટ્રપતિ શાસન લાગુ, મોદી સરકાર લેશે તમામ નિર્ણય...

દક્ષિણ જોનનાં આઇજીપી કેવી શરતચંદ્રએ જણાવ્યું કે, 52 વર્ષીય મહંત તથા તેમનાં સાથીઓ એક મહિલા, તેનાં પતિ અને તેનાં મિત્રોને આઇપીસીની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, મહાદેસ્વર હિલ સાલુરૂ મઠ મહંત પી. આઇ મહાદેશ્વર સ્વામી ઉર્ફે દેવન્ના બુદ્ધીએ ન માત્ર મંદિરનું નિયંત્રણ પ્રાપ્ત કરવા પરંતુ ન્યાસનાં હાલનાં સભ્યોની છબી ખરાબ કરવાનું પણ કાવત્રું રચ્યું હતું.


મુંબઇના ટ્રાઇડેંટ હોટલમાં લાગી આગ, રેસક્યું ઓપરેશન ચાલું...

આઇજીએ જણાવ્યું કે, મહંત 2017 સુધી મંદિર ન્યાસનાં નિયંત્રણમાં હતા. જો કે ત્યાર બાદ તેમને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા જેના કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા. તેમણે જણાવ્યું કે, મહંતની તરફથી 35 વર્ષીય મહિલાએ કથિત રીતે કીટનાશકનો બંદોબસ્ત કર્યો અને તેનાં પતિ તથા મિત્રએ પ્રસાદ બનાવતા સમયે તેમાં જેર ભેળવી દીધું હતું. 


અમેરિકાની જાહેરાત, સીરિયાથી પાછા બોલાવવામાં આવશે તમામ સૈનિક...

ઉલ્લેખનીય છે કે, 14 ડિસેમ્બરે સુલાવાડીમાં ઝેરી પ્રસાદ ખાધા ભાદ 15 લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 100થી વધારે લોકો હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. આઇજીએ જણાવ્યું કે, તપાસ હજી પણ ચાલી રહી છે તથા તેમણે કેટલાક અન્ય લોકોની ધરપકડની સંભાવનાનો ઇન્કાર નથી કર્યો.