નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં. આ અગાઉ ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ આ બિલને સિલેક્ટ સમિતિને મોકલવાની માગણી કરી હતી. આ માટે મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. સિલેક્ટ સમિતિમાં મોકલવાના પક્ષમાં 99 અને ન મોકલવા વિરુદ્ધ 124 મત પડ્યા હતાં. આ પ્રસ્તાવ ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયન લઈને આવ્યાં હતાં. જે પડી ગયો હતો. શિવસેના વોટિંગ પ્રક્રિયામાં સામેલ થઈ નહતી. રાજ્યસભામાં બિલમાં સંશોધન માટે 14 પ્રસ્તાવ આપવામાં આવ્યાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Citizenship Amendment Bill: કેમ મુસલમાનોનો સમાવેશ નથી કરાયો? અમિત શાહે આપ્યો જવાબ


રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019માં વોટિંગ પ્રોસેસમાં શિવસેના  સામેલ રહી નહતી. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના પણ બે સાંસદો મતદાનથી દૂર રહ્યાં હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube