નવી દિલ્હી: કેન્દ્રીય સંસદીય અને વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને બુધવારે પૂર્વ વિદેશ રાજ્યમંત્રી અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર (Shashi Tharoor)  દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની દાઢીની મજાક ઉડાડવા બદલ તેમની આકરી ટીકા કરી છે. મુરલીધરને ટ્વીટ કરીને કહ્યું કે 'જલદી સાજા થઈ જાઓ શશિ થરૂર. હું આયુષ્યમાન ભારત હેઠળ હોસ્પિટલમાં તમારી વ્યવસ્થા કરાવી દઈશ. તમારી બીમારીમાંથી જલદી સાજા થઈ જાઓ.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના પર શશિ થરૂરે પલટવાર કરતા કહ્યું કે 'સંઘીઓ' માં હાસ્ય બોધ ન હોવો એ એક જૂની સમસ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'હું આશ્વસ્ત છું કે મારી જે બીમારી છે તેનો ઈલાજ સંભવ છે પરંતુ તમારા જેવા સંઘીઓમાં હાસ્ય બોધ ન હોવો એક જૂની બીમારી છે અને તેના માટે આયુષ્યમાન ભારત હેઠળ પણ કોઈ સારવાર નથી.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube