હરિદ્વાર: ઉત્તરાખંડ (Uttarakhand) ના કેટલાક ખાસ ક્ષેત્રમાં ડેમોગ્રાફિક પરિવર્તન (Demographic Changes) પર રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) એ કહ્યું, લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, રાજ્યમાં કેટલાક એવા પ્રકારના લોકો આવીને સ્થાયી થયા છે, જેના કારણે ડેમોગ્રાફિક પરિવર્તન જોવા મળી રહ્યા છે, જેની તપાસ થવી જોઇએ. જો કે, સીએમએ સ્પષ્ટ કહ્યું છે કે, તપાસ કોઈને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજેન્દ્ર અજયે સીએમને લખ્યો પત્ર
ખરેખરમાં, ડેમોગ્રાફિક પરિવર્તનના કારણથી કેટલાક વિસ્તારોમાં એક સમુદાયના લોકોના સ્થળાંતરના અહેવાલો મળી રહ્યા છે. ભાજપ નેતા અજેન્દ્ર અજય (Ajendra Ajay) એ થોડા મહિના પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે પહાડી અને પૂજા સ્થળોની આસપાસ એક ખાસ સમયુદાયને જમીન ખરીદવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે સમગ્ર મામલાને 'લેન્ડ જેહાદ' ગણાવ્યો હતો. સરકારે હવે આ પત્રનો જવાબ આપ્યો છે.


કારમાં રોમાન્સ કરી રહ્યું હતું કપલ, ઉત્તેજનામાં કરી એવી ભૂલ કે બોલાવી પડી પોલીસ


ડીએમ-એસએસપીને કાર્યવાહી કરવાના આદેશ
ગત શુક્રવારના સરકાર તરફથી જાહેર એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના કેટલાક ક્ષેત્રોમાં ઝડપથી જનસંખ્યા વૃદ્ધીના કારણે ડેમોગ્રાફિક પરિવર્તન આવ્યું, જેની ખરાબ અસરો કેટલાક સમુદાયના લોકોના પ્રવાસના રૂપમાં જોવા મળવાનો શરૂ થઈ ગયો. કેટલીક જગ્યાઓ પર સાંપ્રદાયિક માહોલ ખરાબ થવાની આશંકા છે. સરકારે સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા ડીજીપી, તમામ જિલ્લાના ડીએમ અને એસએસપીને સમસ્યાના સમાધાન માટે સાવચેતીનાં પગલાં લેવાના આદેશ આપ્યા છે.


1 ઓક્ટોબરથી તમારી સેલેરીમાં થઈ શકે છે ઘટાડો! જાણો સરકારનું નવું સ્ટ્રક્ચર


ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની બનશે યાદી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના વિભિન્ન ક્ષેત્રોમાં શાંતિ સમિતિઓના ગઠનનું આહ્વાન કર્યું છે. પોલીસ અને જિલ્લા અધિકારીઓને આવા વિસ્તારને ચિહ્નિત કરવા અને અસામાજિક તત્વોની સામે કડક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. તેમણે તે લોકોની જિલ્લાવાર યાદી તૈયાર કરવા પણ કહ્યું છે જે બીજા રાજ્યોથી આવ્યા છે અને જેમનો ગુનાહિત ઇતિહાસ છે.


ગુજરાતના હીરા વેપારીનું હોંગકોંગ કનેક્શન, IT વિભાગે કર્યો 500 કરોડના ખેલનો પર્દાફાશ


વોટર કાર્ડ અને મૂળ નિવાસનું થશે વેરિફિકેશન
રાજ્યની બાહરથી આવતા અને આ ક્ષેત્રમાં રહેતા લોકોની ગુનાહિત રેકોર્ડની યાદી પણ તેમના મૂળ નિવાસ સ્થાનની ચકાસણી કર્યા બાદ તૈયાર કરવામાં આવશે. ડીએમને આવા વિસ્તારોમાં ગેરકાયદે જમીન સોદા પર નજર રાખવા અને લોકો ડર કે દબાણ હેઠળ તેમની જમીન વેચતા નથી તે જોવા માટે કહેવામાં આવ્યું છે. વિદેશી મૂળના લોકો કે જેમણે નકલી આઈડી કાર્ડ અથવા મતદાર આઈડી કાર્ડ મેળવ્યા છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આવા લોકોનો રેકોર્ડ તૈયાર થવો જોઈએ અને તેમની સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી થવી જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube