ગ્વાલિયર: કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂરા થયા નિમિત્તે વાયુસેનાએ આજે ગ્વાલિયર એરબેસ પર ટાઈગર હિલ પર હુમલાનું પ્રતિકાત્મક ચિત્રણ અને ઓપરેશન વિજયમાં ઉપયોગમાં લેવાયેલા મિરાજ 2000 અને અન્ય વિમાનોનું પ્રદર્શન કર્યું. ભારત-પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધને જુલાઈમાં 20 વર્ષ પૂરા થાય છે જે અગાઉ આ રણનીતિક એરબેસ પર એક કાર્યક્રમની યોજના બનાવવામાં આવી છે, જેમાં વાયુસેના પ્રમુખ બી એસ ધનોઆ મુખ્ય અતિથિ રહ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાલાકોટ બાદ પાકિસ્તાન આપણા એર સ્પેસમાં ઘૂસી શક્યું નથી, LoC પણ પાર ન કરી શક્યું-IAF પ્રમુખ


રવિવારે વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીને મીડિયાની જાણકારી આપતા કહ્યું હતું કે ગ્વાલિયરમાં આ કાર્યક્રમ હેઠળ અનેક ગતિવિધિઓની યોજના બનાવવામાં આવી છે. ટાઈગર હિલ હુમલાનું એક પુર્ન:ચિત્રણ કરવામાં આવશે જે 1999માં કારગિલ યુદ્ધ વખતે થયું હતું. આ સાથે જ મિરાજ 2000 અને હુમલા દરમિયાન ઉપયોગમાં લેવાયેલા અન્ય વિમાનોનું પણ પ્રદર્શન થશે. 


આ રીતે હશે ખાસ સમારોહ
વીસ વર્ષ બાદ કારગિલ અને બટાલિક પહાડીઓમાં એકવાર ફરીથી ભારતીય સૈનિકોની લલકાર ગૂંજશે જેમણે પાકિસ્તાની ઘૂસણખોરોની કમર તોડી નાખી હતી. બટાલિકની ખાલૂબાર ઉપરાંત દ્રાસમાં તોલોલિંગ, ટાઈગર હિલ, અને પોઈન્ટ 4875 પહાડીઓ પર સેનાની એ જ બટાલિયન તે જ જોશથી ચઢશે જે જોશથી 1999ના જૂન અને જુલાઈમાં ચઢી હતી. દ્રાસના પોઈન્ટ 4875ને હવે બત્રા ટોપ કહેવાય છે. જ્યાં કેપ્ટન વિક્રમ બત્રાને વીરગતિ મળી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...