નવી દિલ્હી : બિહારનાં બેગુસરાયથી કનૈયા કુમાર સીપીઆઇનાં ઉમેદવાર છે, અને કાલે બેગુસરાય સીટ પર મતદાન થવાનું છે. ચોથા તબક્કાનો પ્રચાર પુર્ણ થતા સુધી કોંગ્રેસ કનૈયા કુમારનાં સમર્થનમાં નહોતા આવ્યા. પરંતુ હવે કોંગ્રેસ કનૈયા કુમારનાં સમર્થનમાં ઉતરી ગઇ છે. મધ્યપ્રદેશમાં ભોપાલથી ઉમેદવાર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, તેઓ કનૈયા કુમારનું સમર્થન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો આ કારણથી PM મોદી સામે ચૂંટણી લડવાનું ટાળ્યું! પ્રિયંકા ગાંધીન સ્પષ્ટતા

દિગ્વિજય સિંહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં કનૈયાના મુદ્દે કન્ફ્યુઝન હતું પરંતુ તેઓ કનૈયા કુમારનું સમર્થન કરે છે અને ભોપાલમાં પ્રચાર કરવા માટે પણ આમંત્રણ પાઠવ્યું છે. તેમણે કહ્યું કે, કનૈયાએ ક્યારે દેશ વિરોધી નારા નહોતા લગાવ્યા. કનૈયા મુદ્દે માત્ર અસત્ય ફેલાવવામાં આવી રહ્યું હતું. 
PM મોદી માટે કવિતા ગાઈને વખાણ કરનારા નેતાએ ચૂંટણી ટાણે BJPને આપ્યો ઝટકો

સુત્રો અનુસાર કનૈયા કુમારને ભોપાલમાં દિગ્વિજય સિંહનાં પ્રચાર માટે આમંત્રીત કર્યા છે. હવે કનૈયા કુમાર 8 અને 9 મેના રોજ ભોપાલમાં દિગ્વિજય સિંહના પ્રચાર કરી શકે છે. 


બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓના આંકડા પર વી કે સિંહે આપ્યું મોટું નિવેદન

અત્રે ઉલ્લેખનીય છે કે, બેગુસરાય સીટ પર કનૈયા કુમારના મેદાનમાં ઉતર્યા બાદ મહાગઠબંધનનાં કોઇ દળે તેમનું સમર્થન નથી કર્યું પરંતુ આરજેડીએ કનૈયાની વિરુદ્ધ ઉમેદવાર ઉથારી દીધા. તેના કારણે કનૈયા કુમારની મુસ્કેલી વધી ગઇ. બીજી તરફ કોંગ્રેસે પણ કનૈયાનો સાથ નહોતો આપ્યો, તેનો પ્રચાર નહોતો કર્યો. હવે કોંગ્રેસ નેતા કનૈયા કુમારને પ્રચાર માટે આમંત્રીત કરી રહ્યા છે. એવામાં જોવું જોઇએ કે શું કનૈયા કુમાર દિગ્વિજય સિંહના આમંત્રણને સ્વિકાર કરે છે કે નહી.