પટણા: બિહાર (Bihar) માં ચૂંટણી પરિણામ આવ્યા બાદ હવે સત્તા માટે જોડ તોડના પ્રયત્નો શરૂ થઈ ગયા છે અને મહાગઠબંધન પણ રાજ્યમાં સત્તા મેળવવા માટે રણનીતિ બનાવવામાં લાગી ગયું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મહાગઠબંધન તરફથી કોંગ્રેસ જીતનરામ માંઝી અને મુકેશ સાહનીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહી છે. આ માટે કોંગ્રેસે માંઝીને સીએમ કે પછી સ્પીકર અને મુકેશ સાહનીને ડેપ્યુટી સીએમની સાથે મંત્રી પદની ઓફર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nitish Kumar એ કરી સ્પષ્ટતા, 'મે ક્યારેય રિટાયરમેન્ટ વિશે કહ્યું નથી, લોકો ખોટું સમજ્યા'


લો ત્યારે...ભારતમાં કોરોના વાયરસની રસીની જરૂર નહીં પડે? AIIMS Director નું મોટું નિવેદન


કોંગ્રેસ તરફથી અવિનાશ પાંડે અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને પટણા મોકલવામાં આવ્યા છે. બંને નેતા શુક્રવારે બપોરે પોતાના વિધાયકો સામે બેઠક કરવાના છે. અને આગળની રણનીતિ નક્કી કરશે. જો કે કોંગ્રેસની આ ઓફરો મહાગઠબંધનના સૌથી મોટા પક્ષ આરજેડીને ગમી નથી. 


Jaisalmer માં જવાનો સાથે પીએમ નરેન્દ્ર મોદી દિવાળી ઉજવશે


નોંધનીય છે કે કોંગ્રેસનું પ્રદર્શન વિધાનસભા ચૂંટણીમાં ખુબ ખરાબ રહ્યું. પાર્ટીએ 70 વિધાનસભા અને લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. પરંતુ ફક્તે 19 બેઠકો જ મળી. જ્યારે મહાગઠબંધનમાં હવે કોંગ્રેસના પ્રદર્શનને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આરજેડી અને ડાબેરી પક્ષોનો આરોપ છે કે કોંગ્રેસના કારણે તેઓ સરકાર બનાવવામાં ચૂકી ગયા. આ બાજુ કોંગ્રેસના નેતા તારિક અનવરે પણ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસના કારણે બિહારમાં સરકાર બની શકી નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube