નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) એ કોરોના મહામારીના પીડિતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને દર મહિને 2500 રૂપિયાની મદદ કરવામાં આવશે, અને આ બાળકોને ફ્રી શિક્ષણ મળશે. દિલ્હીમાં જેને જરૂર છે પરંતુ કાર્ડ નથી તેવા લોકોને પણ રાશન મળશે. દરેક જરૂરીયાત મંદ લોકોને મહિનામાં 10 કિલો રાશન મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો એવા બાળકો જેના માતા-પિતા બન્નેનું મોત કોરોનાને કારણે થથુંય છે તેને અભ્યાસ દિલ્હી સરકાર કરાવશે. તો જેના ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ કોરોનાને કારણે રહ્યા નથી તેને પેન્શન આપવામાં આવશે. કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. 


corona: છેલ્લા 15 દિવસમાં દેશમાં ઘટી કોરોનાની ગતિ, રિકવરી રેટ વધ્યોઃ સ્વાસ્થ્ય મંત્રાલય


50 હજાર રૂપિયાનું મળતર આવશે દિલ્હી સરકાર
પ્રત્યેક પરિવારને જેમાં કોઈનું કોરોનાને કારણે નિધન થયુ છે, તેને વળતરના રૂપમાં 50 હજાર રૂપિયા આપવામાં આવશે. કેજરીવાલે કહ્યુ કે, એવા ઘણા લોકો છે જે ગરીબ છે, તેનું રેશન કાર્ડ બની શક્યુ નથી. આવા લોકોને દિલ્હી સરકાર રાશન આપશે. તેની પાસે કોઈ પ્રકારના દસ્તાવેજની માંગ કરવામાં આવશે. એવા બાળકો જેના માતા-પિતાનું કોરોનાને કારણે નિધન થયુ છે અને બાળકો અનાથ થઈ ગયા છે. તેવા બાળકોને દર મહિને 25 વર્ષની ઉંમર સુધી 2500 રૂપિયા આપવામાં આવશે. તેમના અભ્યાસની વ્યવસ્થા સરકાર કરશે. 
 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube