Coronavirus Update In Delhi: દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત ઘટાડા બાદ ફરી એકવાર નવા કેસ વધતા જોવા મળી રહ્યા છે અને 11-18 એપ્રિલ વચ્ચે સંક્રમણ દરમાં લગભગ 3 ઘણો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7.72 ટકાએ પહોંચ્યો કોરોના સંક્રમણ દર
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર દિલ્હીમાં 11 એપ્રિલના કોરોના સંક્રમણ દર 2.70 ટકા હતો જે 15 એપ્રિલના વધીને 3.95 ટકા થયો હતો. ત્યારે બીજા દિવસે 16 એપ્રિલના સંક્રમણ દર 5.33 ટકા થઈ ગયો અને 18 એપ્રિલના તે વધીને 7.72 ટકા સુધી પહોંચી ગયો છે. જો કે, ગત સપ્તાહ દિલ્હીમાં 67,360 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 2606 લોકો પોઝિટિવ આવ્યાની પુષ્ટી થઈ છે. આ દરમિયાન સરેરાશ સંક્રમણ દર 44.79 ટકા રહ્યો છે.


જહાંગીરપુરી હિંસામાં ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, 5 આરોપીઓ પર લગાવી NSA


આટલા સેમ્પલ્સની કરી તપાસ
દિલ્હી સરકારના આંકડા અનુસાર શહેરમાં 11 એપ્રિલના 5079 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 137 સંક્રમિત આવ્યા હતા. જ્યારે 18 એપ્રિલના 6492 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી જેમાંથી 501 થી વધારે સંક્રમણની પુષ્ટી થઈ છે. આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19 ના બે દર્દીઓના મોત થયા છે.


રાજસ્થાનમાં મોટો રોડ અકસ્માત, ટ્રક સાથે અથડાઈ પિકઅપ, 9 લોકોના મોત


વધતા કેસ પર શું કહ્યું ડોક્ટરોએ?
ડોક્ટર્સનું કહેવું છે કે, આવનારા દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. જો કે, તેમનું કહેવું છે કે, હાલની સ્થિતિ વધારે ચિંતાજનક નથી કેમ કે, મોટાભાગના હળવા સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે આ વાયરના વેરિયન્ટને કારણે છે.


બોલીવુડ એક્ટ્રેસના ઘરમાં ગુંજશે બાળકની કિલકારી, કાજલ અગ્રવાલે પુત્રને આપ્યો જન્મ


સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિનના પ્રમુખ ડોક્ટર જુગલ કિશોરે કહ્યું, આ વેરિયન્ટ વધારે ઝડપથી ફેલાય છે પરંતુ તેનાથી હળવું સંક્રમણ થઈ રહ્યું છે. આ માત્ર ઉપરથી રેસ્પિરેટરી સિસ્ટમના સંક્રમણનું કારણ બની રહ્યું છે. તેમણે કહ્યું કે કેસ વધવા પર મૃત્યુ દર પણ વધશે અને હોસ્પિટલોમાં દાખલ દર પણ વધારો થશે પરંતુ આ નિયંત્રણની બહાર નહીં હોય.


માસ્કની વાપસી, એરપોર્ટ-રેલવે-બસ સ્ટેશન પર માસ ટેસ્ટિંગ... શું આ લોકડાઉનની આહટ છે?


સર ગંગા રામ હોસ્પિટલમાં રેસ્પિરેટરી સ્પેશલિસ્ટ ડોક્ટર અભિનવ ગુલિયાનીએ કહ્યું, લોકોને સતર્ક રહેવું જોઇએ. કેસમાં વધારો થશે, જોકે તે નિયંત્રણથી બહાર નહીં હોય. ડીડીએમએ દિલ્હીમાં વધતા સંક્રમણ પર ચર્ચા કરવા માટે બુધવારના બેઠક કરશે, જ્યાં માસ્કને ફરજિયાત કરવા પર ચર્ચા થવાની સંભાવના છે.
(ઇનપુટ- ભાષ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube