નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 74 હજારને પાર કરી ગઈ છે. જ્યારે મોતનો આંકડો 2500 નજીક પહોંચ્યો છે. આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 74,281 થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં અને કેવી રીતે ખર્ચ થશે 20 લાખ કરોડનું પેકેજ? આજે જણાવશે નાણા મંત્રાલય


જો કે રાહતના સમાચાર એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા 24,386 છે. 47480 એક્ટિવ કેસ છે. જ્યારે મૃત્યુનો આંકડો 2415 સુધી પહોંચ્યો છે. ચિંતાની એ વાત છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. 24 કલાકમાં 122 લોકોના મોત થયા છે. ગઈ કાલ સુધી કોરોના સંક્રમણથી થયેલા મોતનો આંકડો 2293 હતો. 


PM મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજની કરી જાહેરાત, Lockdown 4.0 ના હશે નવા નિયમો


દુનિયાભરમાં કોરોના વાયરસથી 40 લાખથી પણ વધુ લોકો સંક્રમિત છે. જો કે કોવિડ 19થી 10 લાખથી વધુ લોકો સાજા પણ થયા છે. વિશ્વભરમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 2 લાખ 90 હજાર પર પહોંચી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube