નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની સ્થિતિ દિન પ્રતિદિન સુધરી રહી છે. નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે આમ છતાં એક રાજ્ય એવું છે જ્યાં હજુ પણ કોરોનાનો પ્રકોપ શમ્યો નથી. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય ચિંતિત છે. કેરળ હાલમાં કોરોનાના નવા કેસ મામલે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ કોરોનાના કેસને લઈને ભારતના ટોપ 20 જિલ્લાઓમાં કેરળ (Kerala) ના 11 જિલ્લા સામેલ છે. જેમાં એર્નાકુલમ, ત્રિવેન્દમ, કોટ્ટાયમ, એલેપ્પી, પથનમથિટ્ટા સહિત અન્ય સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોનાના નવા 13,203 કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં  કોરોના (Corona Virus) ના નવા 13,203 દર્દીઓ નોંધાયા. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 1,06,67,736 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 1,84,182 દર્દીઓ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 131 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા અને કુલ મૃત્યુઆંક 1,53,470 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 16,15,504 લોકોને કોરોનાની રસી (Corona Vaccine) અપાઈ ચૂકી છે. 


New Farm Law મુદ્દે ખેડૂતે PM Modi ના માતા હીરાબાને લખ્યો અત્યંત ભાવુક પત્ર, વિગતો જાણીને આંસુ સરી પડશે


India-China Standoff: બેઠકમાં ભારતે બતાવ્યો દમ, ડ્રેગનને આંખ ફેરવીને કહી દીધુ -'PLA એ હટવું જ પડશે'


સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ કેરળમાં 2 કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ બરાબર થઈ શકતા નથી. ક્લિનિકલ મેનેજમેન્ટને વધુ મજબૂત કરવાની જરૂર છે. અત્રે જણાવવાનું કે કેરળમાં કોરોના વાયરસના નવા 6036 કેસ સામે આવ્યા છે. કુલ કેસની સંખ્યા 8,89,576 થઈ છે. અત્યાર સુધીમાં 3600થી વધુ લોકોએ કેરળમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 


દેશના તમામ મહત્વના સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube