નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તે આ રવિવાર (5 એપ્રિલ) રાત્રે 9 કલાકે પોતાના ઘરની બાલકનીમાં દીવો પ્રગટાવે. પીએમની આ અપીલ પર સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક તરફ જ્યાં લોકો તેનું સમર્થન કરતા જોવા મળી રહ્યાં છે તો ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. આ ક્રમમાં કોંગ્રેસે સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી તબક્કાવાર ઘણા ટ્વીટ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે પીએમની અપીલ પર નિશાન સાધવા માટે આઈસીયૂ બેડ્સ, વેન્ટિલેટર, ટેસ્ટ કિટ અને મેડિકલ સાધનોનો સહારો લીધો છે. કોંગ્રેસે પીએમ મોદીની અપીલ પર કટાક્ષ કરવાની સાથે સાથે સ્વાસ્થ્ય વ્યવસ્થાઓની નબળી સ્થિતિને પણ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. 


કોંગ્રેસનું કહેવું છે કે આ તમામ સવાલોથી પીએમ મોદી છુપાવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસે જે ટ્વીટ કર્યાં છે, તેમાં સવાલોની પાછળ પીએમ મોદીની તસવીર છે. 


દર 100 વર્ષમાં થાય છે મહામારીનો હુમલો, કરોડો લોકો ગુમાવે છે જીવ


કોંગ્રેસે પૂછ્યા ઘણા સવાલ
કોંગ્રેસે સૌથી પહેલા સવાલ કર્યો છે કે તે વાતની વારંવાર માગ કરવામાં આવી રહી છે કે આપણા સ્વાસ્થ્યકર્મિઓને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે પરંતુ સરકાર સતત તેને નજરઅંદાજ કરી રહી છે. આ લડાઇ લડનારા લોકો પ્રત્યે આવું વલણ તેના જીવનને આફતમાં મુકી રહ્યું છે. આ સાથે ક્રિએટિવમાં સવાલ કરવામાં આવ્યો છે કે ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મિઓ સુરક્ષા સાધનોના અભાવમાં સતત બીમાર થઈ રહ્યાં છે. સરકાર તેને જરૂરી પીપીઈ ક્યારે ઉપલબ્ધ કરાવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર