નવી દિલ્હીઃ સમાજમાં હવે છૂટાછેડા એ તો આમ બનતા જાય છે. ભાગદોડ વાળી આ જિંદગીમાં છૂટાછેડા એ સામાન્ય છે. કલકત્તા હાઈકોર્ટે છૂટાછેડાના કેસની સુનાવણી કરતા કહ્યું કે માનસિક ક્રૂરતા માટે પતિ તેની પત્નીથી છૂટાછેડા લઈ શકે છે. જો પત્ની તેના પતિને તેના માતાપિતાથી અલગ થવા દબાણ કરે છે અથવા તેને કાયર કહે છે, તો પણ પતિ છૂટાછેડા આપી શકે છે. સુષ્મા પાલ મંડલના છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન કોલકાતા હાઈકોર્ટે કહ્યું છે કે પતિને માતા-પિતાને છોડીને બીજે ક્યાંક રહેવાનું કહેવું એ પણ માનસિક ઉત્પીડન છે. આવી પ્રવૃત્તિઓ કાનૂની વિભાજનનો આધાર પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  IPLમાં મેચ પહેલાં ગુજરાતે કેમ બદલ્યો કેપ્ટન? કોને સોંપાઈ જવાબદારી? હાર્દિકનું શું?
આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે


કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ સૌમેન સેન અને જસ્ટિસ ઉદય કુમારની ડિવિઝન બેન્ચે છૂટાછેડાના કેસમાં ચુકાદો આપતાં સ્પષ્ટ કહ્યું હતું કે પુરુષ તેની પત્ની દ્વારા માનસિક ઉત્પીડનના પુરાવા બતાવીને જ છૂટાછેડાનો કેસ દાખલ કરી શકે છે. ખંડપીઠે કહ્યું કે પતિ-પત્ની વચ્ચે ઘરેલું મુદ્દાઓ પર તકરાર અને નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાની સમસ્યાઓ સિવાય બીજું કંઈ હોતું નથી. બીજી તરફ પતિ તેના માતા-પિતાનું ઘર છોડીને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે ભાડાના મકાનમાં ચાલ્યો ગયો હતો.


આ પણ ખાસ વાંચો:  શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન આ પણ ખાસ વાંચો:  કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો:  દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી


કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે પુરુષ પર માનસિક ઉત્પીડન છૂટાછેડાનો આધાર બની શકે છે. એટલું જ નહીં, ઘણા કિસ્સામાં એવું જોવા મળે છે કે સાસુ-સસરાના ચહેરા પર વાત ન કરી શકવાને કારણે પત્ની નિયમિતપણે તેના પતિને ડરપોક અથવા ઓછી કમાણી કરનાર પતિને બેરોજગાર કહે છે. આવા કિસ્સાઓમાં માનસિક રીતે શોષિત પતિ પણ આવી પત્ની પાસેથી છૂટાછેડાની માંગ કરી શકે છે.


બેન્ચ પશ્ચિમ મિદનાપુરની ફેમિલી કોર્ટના 25 મે, 2009ના આદેશને પડકારતી પત્નીની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેણે ક્રૂરતાના આધારે તેના પતિને છૂટાછેડા આપ્યા હતા. ફેમિલી કોર્ટે 2 જુલાઈ 2001ના રોજ દંપતીના લગ્નને તોડી નાખ્યા હતા. પતિની દલીલ એવી હતી કે તેની પત્ની તેને 'કાયર અને બેરોજગાર' કહે છે અને તેને તેના માતા-પિતાથી અલગ કરવા માટે નજીવી બાબતો પર ઝઘડો કરતી રહે છે. બેન્ચે પતિ અને તેના પરિવાર પ્રત્યેના તેના લડાયક વલણ સહિત પત્નીના અસંસ્કારી વર્તનના અનેક ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો.


આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન! આ પણ ખાસ વાંચોઃ  ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ! આ પણ ખાસ વાંચોઃ  વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત


કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ સૌમેન સેન અને જસ્ટિસ ઉદય કુમપની ડિવિઝન બેન્ચે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ ખૂબ જ પવિત્ર છે. આમ ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં પ્રચલિત રિવાજો મુજબ બાળક તેના માતા-પિતાની સંભાળ લે તે સ્વાભાવિક છે. પરંતુ જો પુત્રના લગ્ન પછી તેની પત્ની સામાજિક રીત-રિવાજો કે નિયમો તોડે અને દીકરાને લાચાર માતા-પિતાના પરિવારથી દૂર લઈ જાય અથવા તેને અન્યત્ર રહેવા દબાણ કરે તો પતિને આવી પત્નીને છૂટાછેડા આપવાનો અધિકાર છે. કારણ કે તે આપણા સમાજની નિયમિત પ્રથા વિરુદ્ધ છે.


આ પણ ખાસ વાંચોઃ  સ્મશાનની રાણી કહેવાતા માજીએ 80 વર્ષમાં કર્યા 11 લાખથી વધુ લોકોના અંતિમ સંસ્કાર!
આ પણ ખાસ વાંચોઃ  હજાર કામો છોડીને લોકો આ સરકારી ખાતુ ખોલાવવા કેમ લગાવે છે લાઈનો?
આ પણ ખાસ વાંચોઃ  બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન