લખનઉઃ ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનના સંક્રમણની અસર વ્યાપક થઈ રહી છે. તેની ઝપેટમાં સામાન્યથી લઈને ખાસ લોકો પણ આવી રહ્યાં છે. યોગી આદિત્યનાથ સરકારના નવમાં મંત્રીના રૂમાં સિદ્ધાર્થ નાથ સિંહ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસથી સંક્રમિત કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણ તે રીતે ફેલાયું છે કે નેતા-રાજનેતા પણ તેમાંથી બાકાત નથી. દરરોજ કોઈને કોઈ નેતા-રાજનેતા તેની ઝપેટમાં આવી રહ્યાં છે. ગુરૂવારે યૂપી સરકારના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. સિદ્ધાર્થ નાથ સિંહે લખ્યુ કે, કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાયા બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબીયત સારી છે અને ડોક્ટરોની સલાહ પર હું આઈસોલેટ થઈ ગયો છું. મારી વિનંતી છે કે પાછલા દિવસોમાં મારા સંપર્કમાં જે લોકો આવ્યા હોય તે પોતાનો ટેસ્ટ કરાવી લે. 


SCએ નકારી મોહરમ જુલુસની અરજી, કહ્યું- મંજૂરી આપી તો અરાજકતા ફેલાશે

પ્રયાગરાજમાં હડકંપ
કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ બુધવારે પ્રયાગરાજમાં હતા અને તેએ અનેક લોકાર્પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. જ્યાં પાર્ટીના પદાધિકારી, જનપ્રતિનિધિ અને સરકારી અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube