નવી દિલ્હી: ભારતમાં આમ તો કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ સતત ઘટી રહ્યો હોય તેવો જણાય છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા16,432 દર્દીઓ નોંધાયા છે. પરંતુ એક ચિંતાજનક સમાચાર એ છે કે કોરોનાનો જે નવો સ્ટ્રેન(Corona Virus New Strain) યુકેમાં હાહાકાર મચાવી રહ્યો છે તેની હવે ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. ભારતમાં આ નવા કોરોના વાયરસ ટ્રેનના 6 કેસ મળી આવ્યા છે. યુનાઈટેડ કિંગડમથી આવેલા 6 લોકોમાં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. જેમાંથી 3 બેંગ્લુરુ, 2 હૈદરાબાદ અને એક પુણેની લેબના સેમ્પલમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Karnataka વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકરે કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પર મળી આવ્યો મૃતદેહ


મંગળવારે ભારત સરકાર તરફથી યુકેના નવા સ્ટ્રેન પર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. જેમાં અલગ અલગ લેબમાં ટેસ્ટ કરાયેલા સેક્શન અંગે જણાવવામાં આવ્યું. 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીમાં યુકેથી લગભગ 33 હજાર  લોકો પાછા ફર્યા હતા. બધાને ટ્રેક કરવામાં આવ્યા અને તેમના ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી કુલ 114 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા. ત્યારબાદ આ તમામના સેમ્પલોને દેશની 10 લેબ (કોલકાતા, ભુવનેશ્વર, NIA પુણે, CCS પુણે, CCMB હૈદરાબાદ, CCFD હૈદરાબાદ, InSTEM બેંગલુરુ, NIMHANS Bengaluru, IGIB Delhi, NCDC Delhi) મોકલવામાં આવ્યા હતાં. 


FASTag પર આવ્યા મહત્વના સમાચાર, આ મસમોટી ચિંતાનો જડી ગયો ઉકેલ


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube