નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં આપણા 44 જવાનો (રાયટર્સના અનુસાર)ને ગુમાવનાર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)માં આતંકવાદી અને તેને સરણ આપનાર લોકો પ્રત્યે કેટલી નારાજગી છે, તેનો અંદાજો શુક્રવારે તેમની તરફથી આવેલી પ્રતિક્રિયામાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. સુરક્ષા દળે એક ટ્વિટ કરતા કહ્યું કે, ‘ના ભૂલીશુ અને ના માફ કરીશું.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આતંકવાદી સંગઠનોએ મોટી ભૂલ કરી છે, તેની કિંમત તેમણે ચુકવવી પડશે: PM મોદી


સુરક્ષા દળે ટ્વિટર પર તેમના ઓફિસિયલ એકાઉન્ટ પર ટ્વિટ કરતા કહ્યું કે ‘અમે ના ભૂલીશું, ના માફ કરીશું. અમે પુલવામા હુમલામાં શહીદ થયેલા આપણા જવાનોને સલામ કરીએ છે અને શહીદ ભાઇઓના પરિવારની સાથે ઉભા છીએ. આ આત્મધાતી હુમલાનો બદલો લેવામાં આવશે.’


વધુમાં વાંચો: પુલવામા હુમલો: શહીદોના પાર્થિવ દેહને લાવવામાં આવશે દિલ્હી, પીએમ મોદી આપશે શ્રદ્ધાંજલી


ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારે જેશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલા વાહનથી સીઆરપીએફ જવાનોને લઇ જતી બસને ટક્કર મારી હતી. જેમાં ઓછામાં ઓછા 44 જવાન (રોયટર્સના અનુસાર) શહીદ થઇ ગયા છે.


વધુમાં વાંચો: જેટલીએ ફરી સંભાળ્યો નાણામંત્રીનો કાર્યભાર, પુલવામા આતંકી હુમલા પર CCS બેઠકમાં થયા સામેલ


કેન્દ્રી રિઝર્વ પોલીસ દળએ 2500થી વધારે કર્મચારીઓ 78 વાહનોના કાફલામાં જઇ રહ્યાં હતા. તેમાંથી મોટાભાગના તેમની રજાઓ પૂરી કર્યા બાદ પોતાના ડ્યૂટી પર પરત ફરી રહ્યાં હતા. જમ્મૂ કાશ્મીર રાજમાર્ગ પર અવંતિપોર વિસ્તારમાં આ કાફલા પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. શ્રીનગરથી લગભગ 20 કિલોમીટર દૂર પૂલવામા આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારીત આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદે લીધી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...