Prayagraj Deputy CMO News: પ્રયાગરાજના ડેપ્યુટી સીએમઓ સુનીલકુમાર સિંહનો મૃતદેહ વિઠ્ઠલ હોટલના રૂમમાંથી મળી આવ્યો છે. મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. ત્યારબાદ આત્મહત્યાની આશંકા સેવાઈ રહી છે. એવું કહેવાય છે કે પ્રયાગરાજ ડેપ્યુટી સીએમઓ મૂળ વારાણસીના રહીશ હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ ડિપ્રેશનમાં હતા. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના સોમવારની છે. સૌથી પહેલા હોટલના કર્મચારીઓએ મૃતદેહને ફંદા પર લટકેલો જોયો. ત્યારબાદ સીએમઓને ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવી. પ્રભારી સીએમઓ ડો. અશોકકુમારની સાથે જ અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. 


ખરેખર સંકટમાં છે શિંદે-ફડણવીસ સરકાર? રાઉતના 15 દિવસના 'ડેથ વોરંટ' પાછળ શું છે કહાની


કોંગ્રેસના મંત્રી ભૂલ્યા મર્યાદા, મહિલા સાથે કરી 'ગંદી' વાત, વાયરલ થયો અશ્લીલ વીડિયો


સમૂહ લગ્ન ટાણે ટેસ્ટમાં પ્રેગનન્ટ નીકળી કેટલીક દુલ્હનો, બધા સ્તબ્ધ


મૃતક ડોક્ટર સુનીલકુમાર સિંહ સંચારી રોગના નોડલ અધિકારી નિયુક્ત હતા. સુનીલકુમારનો મૃતદેહ મળ્યા બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube