નવી દિલ્હી:  દેશની રાજધાની દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ સીજીઓ કોમ્પલેક્ષમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય અંત્યોદય ભવનના પાંચમા માળે લાગી છે. ફાયર બ્રિગેડની 28 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહી છે. 


જે ઈમારતમાં આગ લાગી છે તે 11 માળની હોવાનું કહેવાય છે. પ્રાથમિક માહિતી મુજબ આગ સૌથી પહેલા સામાજિક ન્યાય મંત્રાલયની ઓફિસમાં લાગી અને જોત જોતામાં તો આગે આખા ફ્લોરને ચપેટમાં લઈ લીધો. રાહત અને બચાવ કાર્ય માટે ઊંચી ક્રેનનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...