નવી દિલ્હી: દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોના મામલે ઊભા થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બે જજોની પેનલે વિરોધાભાસી ચૂકાદો આપ્યો છે. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે અધિકારીઓની નિયુક્તિ અને ટ્રાન્સફરના અધિકાર કેન્દ્રની પાસે હોવા જોઈએ કે દિલ્હી સરકાર પાસે તે મામલે અલગ અલગ મત વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં પબ્લિક સર્વિસ કમિશનને લઈને બંને જજોના અલગ મત છે. જસ્ટિસ સિકરીએ કહ્યું કે ન્યાયસંગત વ્યવસ્થા બનાવવી જરૂરી છે. જોઈન્ટ સેક્રેટરી અને ઉપરના અધિકારીઓની ટ્રાન્સફર તથા પોસ્ટિંગ એલજી કરશે જ્યારે ગ્રેડ 3, 4ના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ સીએમ ઓફિસ કરશે. જો કોઈ મતભેદ થાય તો મામલો રાષ્ટ્રપતિ પાસે જશે. બે જજોની બેન્ચમાં સામેલ જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે સર્વિસિઝ કેન્દ્ર પાસે રહેશે. બંને જજો બાકીના મુદ્દે જો કે સહમત રહ્યાં હતાં. ચુકાદા મુજબ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિયુક્તિના અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો કેન્દ્રના તાબામાં રહેશે. કારણ કે પોલીસ કેન્દ્ર પાસે છે. રેવન્યુ પર એલજીની સહમતિ લેવી પડશે. ઈલેક્ટ્રિસિટીના મામલે ડાઈરેક્ટરની નિયુક્તિ સીએમ પાસે રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ચુકાદાન પર પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રતિભાવ આપ્યો છે. કેજરીવાલે કહ્યું કે જે પાર્ટી પાસે 67 વિધાનસભા બેઠકો છે, તેમની પાસે કોઈ અધિકાર નથી. જ્યારે માત્ર 3 બેઠકો જીતનારા પક્ષ પાસે બધા અધિકાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LG vs દિલ્હી સરકાર: ACB કેન્દ્રના તાબા હેઠળ, ટ્રાન્સફર-પોસ્ટિંગ મુદ્દે સુપ્રીમના બંને જજમાં મતભેદ


સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફન્સમાં સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને દિલ્હી સાથે અન્યાય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે "દિલ્હીના મુખ્યમંત્રી એક પટાવાળાની પણ ટ્રાન્સફર કરી શકે નહીં. આ દિલ્હીના લોકોના વિશ્વાસ વિરુદ્ધ અન્યાય છે અને ખુબ જ ખોટો ચુકાદો છે. કેજરીવાલે કહ્યું કે જો કોઈ એવા અધિકારીની નિયુક્તિ કરી દેવાય કે જે અમારી વાત ન સાંભળે તો મોહલ્લા ક્લિનિક કેવી રીતે ચાલે? જો કોઈ કહે કે તેણે ભ્રષ્ટાચાર કર્યો છે તો હું શું કરું? શું હું ભાજપને કહું કે તમે આ મામલો જુઓ? આ બધુ ભાજપ કરાવી રહ્યો છે. આ ચુકાદો બંધારણ અને જનતંત્ર વિરુદ્ધ છે."


કેજરીવાલે કહ્યું કે આ વખતે તમે વડાપ્રધાન બનવા માટે મત ન આપતા. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ. અહીંના લોકોને અધિકાર મળવો જોઈએ. તમે દિલ્હીની સાતેય બેઠકો આમ આદમી પાર્ટીને આપજો. અમે સંસદમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તે માટે લડત લડીશું. 


તેમણે કહ્યું કે અમે તેનો કાયદાકીય ઉકેલ લાવવાની કોશિશ કરીશું. હું દલ્હીની જનતાને કહેવા માંગુ છું કે કેજરીવાલ ખુબ નાનો માણસ છે. ચાર વર્ષમાં અમે અને મંત્રીઓએ લડી લડીને કામ કરાવ્યાં છે. ફાઈલો ક્લિયર કરવા માટે જો અમારા લોકોએ દસ દિવસ સુધી ઉપવાસ કરવા પડે તો દિલ્હી કેમ ચાલશે? દરેક ફાઈલ માટે જો એલજીના ઘર પર અમારે ઉપવાસ કરવા પડે તો સરકાર ચાલશે કેવી રીતે? 


શું કહ્યું સુપ્રીમ કોર્ટે? 


દિલ્હીમાં પબ્લિક સર્વિસ કમિશનને લઈને બંને જજોના અલગ મત છે. જસ્ટિસ સિકરીએ કહ્યું કે ન્યાયસંગત વ્યવસ્થા બનાવવી જરૂરી છે. જોઈન્ટ સેક્રેટરી અને ઉપરના અધિકારીઓની ટ્રાન્સફર તથા પોસ્ટિંગ એલજી કરશે જ્યારે ગ્રેડ 3, 4ના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ સીએમ ઓફિસ કરશે. જો કોઈ મતભેદ થાય તો મામલો રાષ્ટ્રપતિ પાસે જશે. બે જજોની બેન્ચમાં સામેલ જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે સર્વિસિઝ કેન્દ્ર પાસે રહેશે. બંને જજો બાકીના મુદ્દે જો કે સહમત રહ્યાં હતાં. 


ચુકાદા મુજબ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિયુક્તિના અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો કેન્દ્રના તાબામાં રહેશે. કારણ કે પોલીસ કેન્દ્ર પાસે છે. રેવન્યુ પર એલજીની સહમતિ લેવી પડશે. ઈલેક્ટ્રિસિટીના મામલે ડાઈરેક્ટરની નિયુક્તિ સીએમ પાસે રહેશે. 


રાહુલ જ્યાંના સાંસદ છે તે અમેઠી અંગે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, બનશે માસ્ટરસ્ટ્રોક!


જજો વચ્ચે મતભેદ, ત્રણ સભ્યોની બેન્ચની રચના
દિલ્હીમાં સર્વિસિઝનું નિયંત્રણ કોની પાસે રહેશે તેના પર બંને જજોના અલગ મત હોવાના કારણે તેનો ચુકાદો હવે સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની પેનલ કરશે. રાજ્ય સૂચિમાં રાજ્ય પબ્લિક સર્વિસિઝની એન્ટ્રી 41 હેઠળ દિલ્હી સરકારની કાર્યકારી શક્તિઓ મામલે જસ્ટીસ સિકરી અને જસ્ટિસ ભૂષણના મત અલગ હતાં. જસ્ટિસ ભૂષણે કહ્યું કે દિલ્હી સરકાર પાસે આ સંબંધે કોઈ કાર્યકારી શક્તિઓ નથી જ્યારે જસ્ટિસ સિકરીએ કહ્યું કે જોઈન્ટ સેક્રેટરી અને તેમની ઉપરના રેંકના અધિકારીઓની નિયુક્તિનો અધિકાર ઉપરાજ્યપાલ પાસે રહેશે. જ્યારે નીચેના રેંકના અધિકારીઓની નિયુક્તિ અને બદલીનો અધિકાર GNCTD પાસે રહેશે. 


મુલાયમસિંહે PM મોદીના ભરપેટ વખાણ કરતા વિરોધીઓ સ્તબ્ધ, આઝમ ખાને આપ્યું ચોંકાવનારું નિવેદન 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...