દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે ઈડી દ્વારા ધરપકડ અને કસ્ટડીને પડકારનારી તેમની અરજીઓને ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ચુકાદો આપતા કહ્યું કે આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ વચ્ચેનો મામલો નથી. પરંતુ ઈડી અને તેમના વચ્ચેનો મામલો છે. તેમની મની લોન્ડરિંગ કેસમાં એજન્સીએ ધરપકડ કરી છે. કોઈને કોઈ વિશેષાધિકાર આપી શકાય નહીં. ઈડી પાસે પૂરતા પુરાવા છે. તપાસમાં પૂછપરછમાંથી મુખ્યમંત્રીને છૂટ મળી શકે નહીં. જજ કાયદાથી બંધાયેલા છે, રાજનીતિથી નહીં. 


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube