નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરમાં નજરકેદ કરવાના આમ આદમી પાર્ટીના દાવાને દિલ્હી પોલીસે ફગાવી દીધો છે. નોર્થ ડિસ્ટ્રિક્ટના ડીસીપીએ સીએમ હાઉસના એન્ટ્રી ગેટની એક તસવીર ટ્વીટ કરીને કહ્યું કે સીએમની નજરકેદનો દાવો ખોટો છે. આ અગાઉ આમ આદમી પાર્ટીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી સીએમ કેજરીવાલને નજરકેદ કર્યા હોવાનો દાવો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીસીપીએ શેર કર્યો એન્ટ્રી ગેટનો ફોટો
આમ આદમી પાર્ટીના આ દાવા પર નોર્થ દિલ્હીના ડીસીપીએ કહ્યું કે, 'નજરકેદને લઈને દિલ્હીના મુખ્યમંત્રી તરફથી થઈ રહ્લો દાવો ખોટો છે. તેઓ દેશના કાયદા હેઠળ મળેલા ફ્રી મૂવમેન્ટના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના ઘરના પ્રવેશ દ્વારાની આ તસવીર પોતે જ ઘણું  બધું કહે છે.'


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube