નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુર (Kanpur) માં 8 પોલીસકર્મીઓ શહીદ થયા બાદ યુપી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના એક સાથીની ધરપકડ કરી લીધી છે. જ્યારે બે બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. જો કે મુખ્ય આરોપી વિકાસ દુબે હજુ પણ પોલીસની પકડ બહાર છે. મોડી રાતે ઘટેલી આ ઘટનામાં અપરાધીઓએ પોલીસકર્મીઓના હથિયારો પણ લૂંટી લીધા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશના કાનપુરના બિઠૂરમાં બદમાશોએ રેડ પાડવા ગયેલી પોલીસની ટીમ પર ઘાત લગાવીને ફાયરિંગ કર્યું જેમાં ડીવાયએસપી, 3 સબ ઈન્સ્પેક્ટર અને 4 કોન્સ્ટેબલ સહિત 8 પોલીસકર્મી શહીદ થયાં. આ ઘટના શિવલી પોલીસ સ્ટેશન હદના વિકરુ ગામની છે. જ્યાં મોડી રાતે પોલીસે રેડ પાડી હતી. ફાયરિંગમા 7 પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. 


કાનપુરમાં પોલીસટીમ પર હુમલો: DySP, 3 સબ ઈન્સ્પેક્ટર, સહિત 8 પોલીસકર્મી શહીદ અને 7 ઘાયલ


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહીદ થયેલા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સીએમ યોગીએ બદમાશો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. 


યુપીના ડીજીપી એચસી અવસ્થીએ જણાવ્યું કે વિકાસ દુબે એક કુખ્યાત અપરાધી છે અને કાનપુરનો હિસ્ટ્રીશીટર પણ છે. તેની ઉપર 60 જેટલા કેસ નોંધાયેલા છે. કાનપુરના રાહુલ તિવારી નામના વ્યક્તિએ તેના પર 307નો એક કેસ દાખલ કર્યો છે. જેને લઈને રેડ પાડવા વિકરુ ગામમાં પોલીસ પહોંચી હતી. પોલીસને રોકવા માટે બદમાશોએ પહેલેથી જ જેસીબી લગાવીને રસ્તો રોકી રાખ્યો હતો. પોલીસ પાર્ટી પહોંચતા જ બદમાશોએ ધાબેથી ફાયરિંગ ચાલુ કરી દીધુ. જેમાં 8 પોલીસકર્મી શહીદ થયાં. 


શહીદ થયેલા પોલીસકર્મીઓમાં ડીવાયએસપી દેવેન્દ્ર મિશ્રા, 3 સબ ઈન્સ્પેક્ટર અને 4 કોન્સ્ટેબલ સામેલ ઓછે. ઘટનાસ્થળ પર એડીજી લો એન્ડ ઓર્ડર પહોંચ્યા છે. એસએસપી અને આઈજી ઘટનાસ્થળે છે. કાનપુરની ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. એસટીએફ પણ તપાસમાં લાગી છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube