શ્રીનગર : દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે એક ઘર્ષણમાં એક પોલીસ ઉપાધીક્ષક, સેનાના એક જવાન શહીદ થઇ ગયા અને જૈશ એ મોહમ્મદનાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, વિસ્તારમાં આતંકવાદીઓએ એક જુથની હાજરી અંગે પોલીસને ગુપ્ત માહિતી મળ્યા બાદ કુલગામના તુરિગામ વિસ્તારમાં ઘર્ષણ થયું. અધિકારીઓએ જણાવ્યું કે ત્યાં પહોંચેલા પોલીસદળ પર ગોળીબાર કરવામાં આવ્યો જેમાં પોલીસ ઉપાધીક્ષક અમન ઠાકુર ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. સૈન્ય હોસ્પિટલ ખાતે લઇ જતા સમયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનાં તારિગામમાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણમાં પોલીસ ઉપાધીક્ષક અમન ઠાકુર શહીદ થઇ ગયા. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેનાના એક અધિકારી સહિત 3 જવાન ધાયલ છે. ઘાયલોને 92 બેસ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમન ઠાકુર 2011 બેચના અધિકારી હતા અને ગત્ત ડોઢ વર્ષથી જમ્મુ કાશ્મીર પોલીસના આતંકવાદ વિરોધી શાખામાં હતા. 


ઘર લેનારા લોકો માટે મોદી સરકારની મોટી ગિફ્ટ, નિર્માણાધીન ઘરો પર GSTમાં મોટો ઘટાડો

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરી(ગુરૂવારે) સીઆરપીએફના કાફલા પર આતંકવાદીઓ હુમલો થઇ ગયો હતો. આ હુમલામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. આતંકવાદીઓની આ કાયરતાપુર્ણ હરકત બાદ ભારતીય સેના સતત આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. 


[[{"fid":"204322","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


કુંભ આધ્યાત્મ, આસ્થા અને આધુનિકતાનું ત્રિવેણી છે: વડાપ્રધાન મોદી

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી બાદ સુરક્ષાદળોએ તારિગામ ક્ષેત્રને ઘેર્યું હતું અને ત્યાં સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ ચાલુ કરી દીધું, ત્યાર બાદ જવાબી કાર્યવાહી કરતા સેનાનાં જવાનોએ મોર્ચો સંભાળી લીધો છે. 


VIDEO: વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા કર્મચારીઓના પગ ધોઇને આપ્યું સન્માન

પુલવામા હુમલા બાદ  હાલમાં જ દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, હું ખુબ જ આશ્વાસ્ત છું અને હું તમને આશ્વાસન આપવા માંગુ છું કે સમય આવશે જ્યારે લોકોની ભાવનાઓ, તેમની ઇચ્છાઓ, તેમની આશા અને અપેક્ષાઓની પુર્તિ થશે. એટલું જ નહી ગૃહમંત્રી ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ પુલવામા હુમલા બાદ આતંકવાદીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.