નવી દિલ્હી: કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) ના ત્રીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સીન લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે સવારે દિલ્હી સ્થિત એમ્સ (AIIMS) માં કોરોના વાયરસની વેક્સીન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ લગાવ્યો. પીએમ મોદીને ભારત બાયોટેકની કોવેક્સીન લગાવી છે અને હવે તેમને 28 દિવસ પછી આગામી ડોઝ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે આજે વહેલી સવારે પીએમ મોદી સામાન્ય વ્યક્તિની માફક સુરક્ષા વિના દિલ્હી સ્થિત એમ્સ (AIIMS) હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેનો એક્સક્યુઝિવ વીડિયો છે. તેમને મેસેજ પુરો પાડ્યો હતો અને વિપક્ષની બોલતી બંધ કરી દીધી છે. 


Gold Price Today, 1 March 2021: 10,000 રૂપિયાથી વધુ સસ્તું મળી રહ્યું છે સોનું, હવે વધશે ભાવ!


રસી લગાવ્યા બાદ પીએમ મોદી સાથે શું થઇ વાત
પીએમ મોદીને રસી લગાવ્યા બાદ નર્સ નિવેદાએ પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે ડીડી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે 'મારું નામ નિવેદા છે. હું પુડુચેરીથી છું. એમ્સમાં ત્રણ વર્ષથી કામ કરી રહી છું. આજે સવારે ખબર પડી કે પીએમ સર વેક્સીનેશન માટે આવી રહ્યા છે. સરને વેક્સીન લગાવવા માટે મને બોલાવવામાં આવી. અહીં આવીને ખબર પડી કે સર આવી ગયા છે. તેમને જોઇને સારું લાગ્યું. સરને ભારત બાયોટેકની વેક્સીન આપવામાં આવી છે. 28 દિવસ બાદ બીજો ડોઝ લગાવવામાં આવશે. નર્સ નિવેદાએ જણાવ્યું કે 'આ દરમિયાન સર (પ્રધાનમંત્રી) સાથે વાત થઇ. સરે મને પૂછ્યું કે તમે ક્યાંથી છો. રસી લગાવ્યા પછી કહ્યું કે વેક્સીન લગાવી પણ દીધી, ખબર પણ ન પડી. 

Auto પર બનાવ્યું એક લાખ રૂપિયામાં હાઇટેક ઘર, આનંદ મહિંદ્રાએ કરી મોટી ઓફર


વિપક્ષને આકરો જવાબ
દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનનું કામ શરૂ થયું હતું, ત્યારથી કોરોના વોરિયર્સને વેક્સીન આપવામાં આવી. આ દરમિયાન ઘણીવાર માંગ ઉઠી હતી કે પ્રધાનમંત્રી મોદીને પણ વેક્સીન લેવી જોઇએ, જેથી લોકોમાં વિશ્વાસ જાગે. સાથે જ કેટલાક રાજકીય દળો, રાજ્ય સરકારોએ જન-પ્રતિનિધિઓને વેક્સીન મળવાની વાત કહી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube