નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm laws) ના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો (Farmers) ને રસ્તાઓ પરથી હટાવવા અંગે દાખલ થયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી થઈ. ખેડૂતોના આંદોલન (Farmers Protest) પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે ખેડૂતોને આંદોલનનો હક છે પરંતુ તમે કોઈ શહેરને આ રીતે બંધ કરી શકો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: આ રીતે કૃષિ કાયદા પર ખેડૂતોના 'ભ્રમ' દૂર કરશે મોદી સરકાર


'ખેડૂતોએ વાતચીત માટે આગળ આવવું જોઈએ'
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેએ સુનાવણી દરમિયાન કહ્યું કે અમે તમને (ખેડૂતો) પ્રદર્શન કરતા રોકી શકીએ નહીં. પરંતુ પ્રદર્શનનો એક હેતુ હોય છે. તમે ફક્ત ધરણા પર ન બેસી શકો. વાતચીત પણ કરવી જોઈએ અને વાતચીત માટે આગળ આવવું જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે પણ ખેડૂતોના હમદર્દી છીએ. અમે ફક્ત એ જ ઈચ્છીએ છીએ કે કોઈ સર્વસામાન્ય સમાધાન નીકળે. 


Kailash Vijayvargiya નો દાવો, મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાડવામાં PM મોદીની મહત્વની ભૂમિકા


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube