નવી દિલ્હીઃ કૃષિ કાયદાને લઈને સરકારમાં મથામણ ચાલી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શનિવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. બંન્ને નેતાઓએ કૃષિ કાયદા પર ચર્ચા કરી. કૃષિ મંત્રીને મળ્યા બાદ સીએમ ખટ્ટરે કહ્યુ કે, એક-બે દિવસમાં હલ નિકળી જશે. મનોહર લાલ ખટ્ટર રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ ખટ્ટરે કહ્યુ કે, મારૂ માનવું છે કે આગામી 2-3 દિવસમાં સરકાર અને કિસાનોમાં વાત થઈ શકે છે. કિસાનોના વિરોધનું સમાધાન ચર્ચાના માધ્યમથી નિકળવું જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ મુદ્દાનો જલદી હલ કાઢવો જોઈએ. 


કોંગ્રેસની બેઠકમાં નેતાઓની માગ, રાહુલ એકવાર ફરી સંભાળે પાર્ટીની કમાન, જાણો 'RG'નો જવાબ


સરકાર અને કિસાનો વચ્ચે અત્યાર સુધી ઘણા રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. કિસાન નેતા અમિત શાહ સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે. સરકારે કિસાનોને લેખિતમાં પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ કિસાનોએ તેને નકારી દીધો હતો. હકીકમાં કિસાનોની માંગ છે કે ત્રણેય કાયદા પરત લેવામાં આવે, પરંતુ સરકાર સંશોધન પર તૈયાર છે અને કિસાન માની રહ્યાં નથી. તેવામાં બંન્ને પક્ષે વિવાદ યથાવત છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube