નવી દિલ્હીઃ હંમેશા પોતાના નિવેદનથી વિવાદ ઉભો કરનારા નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ ફરી વિવાદિત નિવેદન આપી દીધુ છે. આ વખતે તેમણે કોઈ નેતા કે પાકિસ્તાન પર ટિપ્પણી કરી નથી, પરંતુ તેમણે ભારતીય ઝંડા તિરંગાનું અપમાન કરી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અબ્દુલ્લાના નિવેદનથી વિવાદ
શ્રીનગરની બજારમાં પત્રકારો સાથે વાત કરતા ઈદ અને યશવંત સિન્હાના મુદ્દા પર બોલ્યા બાદ જ્યારે એક પત્રકારે પૂછ્યુ કે હર ઘરમાં તિરંગો તો અબ્દુલ્લાએ જવાબ કાશ્મીરીમાં આપ્યો. તેમણે કાશ્મીરી ભાષામાં કહ્યુ- તે તારા ઘરમાં રાખવો. તેમના આ નિવેદન બાદ વિવાદ ઉભો થઈ શકે છે. લોકો કહી રહ્યાં છે કે તે આ સવાલનો સીધો જવાબ આપી શકતા હતા, પરંતુ તે ઈરાદાપૂર્વક આવા નિવેદન આપે છે. 


જુઓ ફારૂક અબ્દુલ્લાનું વિવાદિત નિવેદન


હવે 9ની જગ્યાએ 6 મહિનામાં લઈ શકશો બૂસ્ટર ડોઝ, કેન્દ્ર સરકારનો નિર્ણય


શું છે હર ઘર તિરંગા અભિયાન?
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 15 ઓગસ્ટના દિવસે 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય લોકોને પોતાના ઘરોમાં તિરંગો ફરકાવવા પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube