નવી દિલ્હી: ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની ગણતરીની પળો પહેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. તે સમયે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર હતું. વિક્રમ સાથે ખરેખર શું બન્યું, તે ક્યાં છે અને કઈ હાલાતમાં છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. જો કે ઓર્બિટર પર લાગેલા અત્યાધુનિક ઉપકરણોની મદદથી આ બધા સવાલોના જવાબ જલદી મળી શકે તેમ છે. ઈસરોના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે આગામી 3 દિવસોમાં વિક્રમ ક્યાં છે અને કઈ હાલાતમાં છે તેની ખબર પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર


3 દિવસ બાદ તે જ પોઈન્ટ પરથી પસાર થશે ઓર્બિટર
અંગ્રેજી અખબાર સાથે વાતચીતમાં સીનિયર વૈજ્ઞાનિકે જણાવ્યું કે 3 દિવસમાં લેન્ડર વિક્રમ અંગે જાણકારી મળવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે લેન્ડરનો જે જગ્યાએથી સંપર્ક તૂટ્યો હતો તે જગ્યાએ પહોંચતા ઓર્બિટરને 3 દિવસ લાગશે. અમને લેન્ડિંગ સાઈટની જાણકારી છે. છેલ્લી પળોમાં વિક્રમ પોતાના રસ્તેથી ભટકી ગયું હતું આથી અમે ઓર્બિટરના 3 ઉપકરણો (SAR) સિન્થેટિક અપર્ચર રડાર, IR સ્પેક્ટ્રોમીટર અને કેમેરાની મદદથી 10X10 કિમીનો વિસ્તાર ચકાસશે. વિક્રમની ભાળ મેળવવા માટે અમારે તે વિસ્તારની હાઈ રિઝોલ્યુશન તસવીરો લેવી પડશે. 


જો ટુકડાંમાં ફેરવાઈ ગયું હશે વિક્રમ તો શોધવું મુશ્કેલ
વૈજ્ઞાનિકે એ પણ સ્પષ્ટ કર્યું કે જો વિક્રમનું ક્રેશ લેન્ડિંગ થયું હશે અને તે ટુકડે ટુકડા થઈ ગયું હશે તો તેની  ભાળ મળવાની શક્યતા ઓછી રહેશે. જો કે જો તેના કમ્પોનન્ટને નુકસાન નહીં પહોંચ્યું હોય તો હાઈ રિઝોલ્યુશન તસવીરો દ્વારા તેની  ભાળ મેળવી શકાશે. ઈસરો ચીફ કે. સિવને પણ કહ્યું છે કે આગામી 14 દિવસ સુધી લેન્ડર વિક્રમનો સંપર્ક સાધવાની સતત કોશિશ કરવામાં આવશે. ઈસરોની ટીમ સતત મિશનના કામમાં લાગેલી છે. આવામાં દેશને એવી આશા છે કે આગામી 14 દિવસમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...