નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહા (Historian Ramchandra Guha) વચ્ચે ગુરુવારે ટ્વીટર વોર ચાલી. નાણામંત્રી (Finance Minister) એ રામચંદ્ર ગુહાને કહ્યું કે તેમણે અર્થવ્યવસ્થાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તે 'સુરક્ષિત હાથ'માં છે. આ અગાઉ ઈતિહાસકારે બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રાટની 1939ની એક ટિપ્પણીનો હવાલો આપતા કહ્યું કે 'ગુજરાત આર્થિક રીતે મજબુત હતું, સાંસ્કૃતિક રીતે પછાત હતું'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુહા તમને ખબર નથી, પણ ગુજરાતની સંસ્કૃતિ તમારા કે ફિલિપના સર્ટિફિકેટની મોહતાજ નથી


ત્યારબાદ નિર્મલા સીતારમણે એક લેખનું વેબલિંક પોસ્ટ કરી જે સપ્ટેમ્બર 2018માં પ્રકાશિત થયો હતો. આ લેખ પોલેન્ડ સરકાર દ્વારા જામનગરના પૂર્વ નરેશ મહારાજ જામસાહેબ દિગ્વિજય સિંહજી જાડેજાના સન્માનમાં આયોજિત કાર્યક્રમ સાથે સંલગ્ન હતો. તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના 1000 બાળકોને શરણ આપી હતી. 


કેટલાક લોકો ભારતને વિભાજીત કરવા માગે છે, રામચંદ્ર ગુહાને સીએમનો વળતો જવાબ


CM વિજય રૂપાણીએ પણ આપ્યો હતો જડબાતોડ જવાબ
જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ (Historian Ramchandra Guha) ગુજરાતને (Gujarat) લઈને એક વિવાદાસ્પદ નિવેદન (Controversial statement) આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે. તેમણે એક જૂના પુસ્તકનો સંદર્ભ લઈને આ વાત કરી હતી. હવે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Chief Minister Vijay Rupani) તેમને સણસણતો જવાબ આપ્યો છે. 


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના વિવાદાસ્પદ ટ્વીટ સામે સણસણતો જવાબ આપીને કહ્યું છે કે, કેટલાક લોકો ભારતને અને ભારતીયોને વિભાજીત કરવા માગે છે પણ ભારતીયો એક છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube