નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીની હાલત ખુબ નાજુક છે. ગૃહ મંત્રી શાહે એમ્સ જઈને તેમના હાલચાલ જાણ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ આજે સવારે 10 કલાકે તમામ મંત્રીઓ જેટલીને જોવા માટે અને હાલ જાણવા માટે એમ્સ જશે. જેટલીની તબીયત શુક્રવારે ફરીથી લથડી હતી. તેમનું હ્રદય અને ફેફસા બરાબર કામ કરતા નથી આથી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સટ્રોકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સીજનેશન, જેને એક્સ્ટ્રાકોર્પોરિયલ લાઈફ સપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિનું હ્રદય અને ફેફસા બરાબર કામ ન કરતા હોય તેમને લાંબા સમય સુધી હ્રદય અને શ્વસન સહાયતા આપવા માટે આ એક એક્સટ્રોસ્પોરલ ટેક્નિક છે. 


ભાજપના દિગ્ગજ નેતા જેટલીને ગત અઠવાડિયે ગભરાહટ અને નબળાઈની ફરિયાદ બાદ ગત 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, અને ભાજપના અન્ય ટોચના નેતાઓએ હોસ્પિટલ જઈને જેટલીના હાલચાલ જાણ્યા હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...