ગાઝિયાબાદ: ગાઝિયાબાદના પત્રકાર વિક્રમ જોશી (Vikram Joshii) નું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું. પત્રકાર જોશી પર સોમવારે બદમાશોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી રવિ સહિત 9 લોકોની ધરપકડ કરી છે. પ્રતાપ વિહાર ચોકી ઈન્ચાર્જ રાઘવેન્દ્ર પર કોઈ કાર્યવાહી ન કરવા બદલ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રકાર વિક્રમ જોશી સોમવારે જ્યારે પોાતની બે પુત્રીઓ સાથે જઈ રહ્યાં હતાં ત્યારે જ તેમની બાઈક રોકીને તેમની સાથે મારપીટ કરવામાં આવી. આરોપીઓમાંથી એક રવિએ વિક્રમ જોશીને ગોળી મારી હતી. ઘાયલ વિક્રમને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં તેમની હાલાત ગંભીર હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube