કેન્દ્ર સરકારે પોતાના તમામ વિભાગોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે તેમના હેઠળ કામ કરતા કર્મચારીઓ ફરજિયાતપણ આધાર-અનેબલ્ડ બાયોમેટ્રિક સિસ્ટમ (Biometric System) દ્વારા પોતાની હાજરી નોંધાવે. સરકારી વિભાગો અને તેના કર્મચારીઓ દ્વારા ઢીલાશ દેખાડવામાં આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આવા કર્મચારીઓ સિસ્ટમમાં રજિસ્ટર્ડ હોવા  છતાં હાજરી નોંધાવતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્મિક મંત્રાલય  (Personnel Ministry) દ્વારા બહાર પાડવામાં આવેલા એક આદેશમાં કહેવાયું છે કે આધાર અનેબલ્ડ બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ પ્રણાલી (AEBAS) અમલી હોવાની સ્થિતિમાં થયેલી સમીક્ષા દરમિયાન એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું કે ભારત સરકારના મંત્રાલયો/વિભાગો/સંગઠનોમાં તૈનાત મોટી સંખ્યામાં કર્મચારીઓ પોતાની ઉપસ્થિતિ આ સિસ્ટમ દ્વારા નોંધાવતા નથી. 


H1B વિઝા પર PM મોદીએ આપ્યા મોટા ખુશખબર, જાણો તમને શું મળશે ખાસ સુવિધા


આ તે કયુ ડ્રિંક? જેને લઈને પીએમ મોદી બાઈડન સાથે ચિયર્સ કરતા જોવા મળ્યા...ખાસ જાણો


15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન...PM મોદી સાથે સેલ્ફી-ઓટોગ્રાફ માટે US સાંસદોની પડાપડી


કડક કાર્યવાહી થશે
તેમાં કહેવાયું છે કે મંત્રાલયો/વિભાગો/સંગઠનો અને કર્મચારીઓ (જે રજિસ્ટર્ડ હોવા છતાં અટેન્ડન્સ નોંધાવતા નથી) તરફથી બેદરકારી/શિથિલતાને ગંભીરતાથી લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે મંત્રાલયો/વિભાગો/સંગઠન (MDOs) એ સુનિશ્ચિ કરશે કે ત્યાં તૈનાત કર્મચારીઓ AEBAS નો ઉપયોગ કરીને પોતાની હાજરી નોંધાવે. નિવેદનમાં કહેવાયું છે કે મોડા આવવાની આદતવાળા અને કાર્યાલયથી જલદી જનારાને ગંભીરતાથી લેવા જોઈએ અને નિયમો હેઠળ તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ થવી જોઈએ. 


આદેશમાં કહેવાયું છે કે દિવ્યાંગ કર્મચારીઓ મામલે એમડીઓ ઓછી ઊંચાઈ પર કે તેમના ડેસ્ક પર સરળતાથી પહોંચી શકે તેવા મશીનો ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરશે. કોવિડ 19ના પ્રસાર દરમિયાન AEBAS પર હાજરી લગાવવાનું લાંબા સમય માટે બંધ રહ્યું હતું. 


(અહેવાલ-સાભાર ઝી બિઝનેસ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube