તિરુવનંતપુરમ: કેરળમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. મૂશળધાર વરસાદના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદની સૌથી વધુ અસર કુટ્ટીક્કલ (Koottickal), કોટ્ટયમ (Kottayam), ઈડુક્કી (Idduki) અને કોક્કયર (Kokkayar)માં થઈ છે. 


IPL ની ફાઈનલમાં જાડેજાના 2 ઈશારા, કોઈ સમજે કે ન સમજે.. પણ દિલ્હી પોલીસ સમજી ગઈ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાએ સંભાળ્યો મોરચો
હાલાત એવા છે કે પ્રદેશમાં રેસ્ક્યૂ અને બચાવ માટે આર્મી અને એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. સેનાની એક ટુકડી કોટ્ટાયમમાં તૈનાત છે. જ્યારે એક અન્ય બીજી ટુકડી ત્રિવેન્દ્રમમાં તૈનાત કરાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચિંતા વ્યક્ત કરતા દરેક શક્ય મદદનો ભરોસો જતાવ્યો છે. 


Corona: ભારતમાં રસીકરણની 'સુપરફાસ્ટ' ઝડપ જોઈ IMF બાદ હવે વર્લ્ડ બેંક પણ થયું ઓળઘોળ, ભરપેટ કર્યા વખાણ


આ બધા વચ્ચે કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) ના રાજ્ય સભા સાંસદ વિનય વિશ્વમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લેટર લખ્યો છે. તેમણે આ આફતમાં કેરળને મદદ કરવાની ગુહાર લગાવી છે. લેટરમાં તેમણે લખ્યું કે સતત વરસાદથી કેરળમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ધ્યાન આપવાની જરૂર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube