બેંગલુરૂઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શનિવારે કહ્યું કે બિનજરૂરી વિવાદોને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને વિદ્યાર્થીઓને શાળાના ગણવેશ દ્વારા માર્ગદર્શન આપવું જોઈએ. નાયડૂએ બેંગલુરૂમાં એક ખાનગી સ્કૂલમાં 'ઈન્ડોર સ્પોર્ટ્સ એરીના' અને 'લેટરલી'નું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યુ, કર્ણાટકમાં ચાલી રહેલાં વિવાદની જેમ બિનજરૂરી વિવાદોને પ્રોત્સાહન ન આપવું જોઈએ. એક સ્કૂલમાં તમે બધા શાળાના યુનિફોર્મ દ્વારા ઓળખાવ છો, ભલે ગમે તો યુનિફોર્મ હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવિધ ભારતીય સંસ્કૃતિની સુંદરતાને અનુભવ કરવાની જરૂરીયાતનો ઉલ્લેખ કરતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ, વિવિધતામાં એકતા, ભારતની વિશેષતા છે. અલગ ભાગ, અલગ વેષ- છતાં પણ આપણો એક દેશ. તેમણે તે પણ કહ્યું કે, લોકોએ તે યાદ રાખવુ જોઈએ કે તે પહેલાં ભારતીય છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ, 'ભલે ગમે તે જાતિ, પંથ, લિંગ, ધર્મ અને ક્ષેત્ર હોય, તેમ છતાં આપણે એક છીએ. આપણે પહેલાં ભારતીય છીએ. તે બધાએ યાદ રાખવું જોઈએ. કોઈ ભેદભાવ ન થવો જોઈએ.'


યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને બીજુ વિમાન દિલ્હી પહોંચ્યુ, 250 લોકોની સુરક્ષિત વાપસી


નાયડૂ અનુસાર મૂલ્યોનું ધોવાણ દુનિયામાં માનવતા માટે તબાવી લાવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ કે, મૂલ્યોનું પાલન કરવું જોઈએ, આપણા વારસાને સાચવવો જોઈએ, પોતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ અને એક ભારતીય હોવા પર ગર્વ અનુભવવો જોઈએ. તેમણે કહ્યું કે, ગર્વ કરો કે તમે ભારતીય છો. 


તેમણે કહ્યું કે, એક સમયમાં ભારત વિશ્વ ગુરૂના રૂપમાં ઓળખાતું હતું. નાયડુએ કહ્યું કે લાંબા સંસ્થાનવાદી શાસને આપણને આપણો ભવ્ય ભૂતકાળ ભૂલાવી દીધો. તેમણે કહ્યું, ભારત આજે આગળ વધી રહ્યું છે અને તેના મૂળમાં પાછા જવાનો સમય આવી ગયો છે. નાયડૂએ સભાને કહ્યું કે શિસ્ત, ગતિશીલતા, શિક્ષણ, સમર્પણ, નિષ્ઠા ભારતમાં સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું, “શિક્ષણ એ એક મિશન છે, કમિશન નથી. આમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. રાષ્ટ્ર માટે જુસ્સાથી કામ કરવું જોઈએ. આ જરૂરી છે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube