જોધપુર/નવી દિલ્હી: પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારોને દેશ છોડવાની નોટિસ પર ગૃહ મંત્રાલયે હસ્તક્ષેપ કરતા રોક લગાવી છે. જોધપુરના 6 સભ્યોને CIDએ પાકિસ્તાન ભેગા થવા માટે નોટિસ પકડાવી હતી. 6 વર્ષ અગાઉ પાકિસ્તાનમાં અત્યાચારથી પરેશાન થઈને એક હિન્દુ પરિવાર પાકિસ્તાનથી ભારતમાં આવીને વસી ગયો હતો. 6 વર્ષ વીતી ગયા બાદ આ હિન્દુ પરિવારને હિન્દુસ્તાન અપનાવી શક્યું નથી. સરકારે વીઝા એક્સ્ટેન્શન અને નાગરિકતાના નામ પર આ લોકોને લટકાવી રાખ્યાં. પરંતુ હવે 19 સભ્યોવાળા આ પરિવારના 6 લોકોને ગહલોત સરકાર પાછા પાકિસ્તાન જવા માટે કહી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: પવારના નિવેદન બાદ પણ CM પદ પર સસ્પેન્સ, કોંગ્રેસે જરાય ફોડ ન પાડ્યો


19 નવેમ્બરના રોજ ભારત છોડો નોટિસ આ પરિવાર માટે કોઈ મોતના ફરમાનથી જરાય કમ નહતી. વિઝા નિયમોના ભંગ  બદલ તત્કાળ પ્રભાવથી ભારત છોડવાની સીઆઈડીએ નોટિસ આપી. ત્યારબાદ આ પીડિત પરિવારે જિલ્લા કલેક્ટર, સીઆઈડી, સાંસદને ગુહાર લગાવી. આ મુદ્દાને ઝી મીડિયાએ પણ પ્રમુખતાથી પ્રસારિત કર્યો. ગૃહ મંત્રાલયે આ મામલે હસ્તક્ષેપ કરતા પીડિત પરિવારને સીઆઈડી પોલીસ ઈન્સ્પેક્ટર જોધપુર સમક્ષ હાજર થવાના નિર્દેશ અપાયા છે. હાલ પીડિત પરિવારની અરજી પર ગૃહ મંત્રાલયના નિર્દેશ બાદ હવે સીઆઈડી એસપી આગળની કાર્યવાહીમાં લાગેલા છે. હવે પીડિત પરિવારના 6 લોકોને પાછા પાકિસ્તાન મોકલવાની કાર્યવાહી હાલ થશે નહીં. પીડિત પરિવારે જનપ્રતિનિધિ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી કેન્દ્ર સરકાર, સીમા જાન કલ્યાણ સમિતિ તથા જિલ્લા કલેક્ટરનો પણ આભાર વ્યક્ત કર્યો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube