મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ સતત વધી રહ્યા છે. COVID-19 ના લીધે મહારાષ્ટ્રમાં લોકડાઉન અને કર્ફ્યૂ બંને લાગૂ છે. કોઇપણને ઘરમાંથી બહાર નિકળવાની પરવાનગી નથી. એવામાં મુંબઇમાં મોટી સંખ્યામાં મજૂરો ફસાયેલા છે. ઘણા મજૂરોને જમવાની પણ સમસ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવા સંકટ સમયમાં મુંબઇમાં રહેનાર ઇબ્રાહિમ મોતીવાલા આ મજૂરો માટે ફરિશ્તા બનીને સામે આવ્યા છે. ઇબ્રાહિમ મોતીવાલા રોજ 800 ખાવાના પેકેટ ગરીબ મજૂરો અને અસહાય લોકો માટે ભોજન તૈયાર કરાવે છે અને તેમની પાસે પહોંચાડે છે. ઇબ્રાહીમ મોતીવાલાની માનવતા માટે આ પહેલ પર ઝી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી. 


ઇબ્રાહિમ મોતીવાલાએ જણાવ્યું કે ''ભૂખ્યાઓને ભોજન ખવડાવી અને તરસ્યાઓને પાણી પીવડાવી અમે અલ્લાહને રાજી કરી રહ્યા છીએ. અલ્લાહ અમારી પાસે આ કામ કરાવી રહ્યો છે. અમારા આ કામથી જો અલ્લાહ રાજી થઇ જશે તો દુનિયા COVID-19ના આ પ્રકોપથી બચી જશે. અલ્લાહ તમામ ઉપર રહેમ કરશે.''
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર