ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી સામે ઝઝૂમી રહેલ ભારત દેશ આ સંકટમાંથી નીકળવા માટે વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. એક તરફ આ વાત પર મંથન ચાલી રહ્યું છે કે, લોકડાઉન (Lockdown) ખોલવામાં આવે કે નહિ, તો બીજ તરફ કોરોના વાયરસ ટેસ્ટીંગ કિટ (Testing Kit) પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. તેને લઈને સોશિયલ મીડિયા પર  અનેક પ્રકારની ખોટી માહિતી આપવામાં આવી રહી છે. 


કોરોનાના કઠેડામાં ભારત ક્યાં ઉભું છે? માત્ર નવા કેસ નહિ, રિકવર રેટ પણ વધ્યો છે, જાણી લો બધું જ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ફેસબુક પોસ્ટનો દાવો છે કે, કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટ આઈસીએમઆર દ્વારા વધેલા ભાવમાં ખરીદવામાં આવી છે. ટેસ્ટીંગ કીટની કિંમત સાથે જોડાયેલ આ સોશિયલ મીડિયા પોસ્ટના આધાર પર કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ ઉદિત રાજે ICMR પર સવાલો ઉભા કર્યાં છે. ઉદિત રાજના આ સવાર પર ICMRએ જવાબ આપ્યો કે, આવી કોઈ પણ માહિતી ખોટી છે. 


કોરોના દર્દીઓની આ કામગીરી માટે તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલને 100 માંથી 100 માર્કસ આપશો

ICMR એ આ માહિતીને નકારી કાઢી છે. પીઆઈપી ફેક્ટચેકે તેનો જવાબ આપતા પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, આ એક ફેક ન્યૂઝ છે. ICMRએ જે કિંમત નક્કી કરી છે, તે હિસાબથી RT-PCR ટેસ્ટની કિંમત 740-1150 ની વચ્ચે અને રેપિડ ટેસ્ટની કિંમત 528-795 રાખવામાં આવી છે. કોઈ પણ ટેસ્ટ 4500 રૂપિયામાં કરવામાં નથી આવી રહ્યો. 


આ સાથે જ ICMR એમ પણ જણાવ્યું કે, જો કોઈ ભારતીય કંપની ઓછી કિંમતમાં સપ્લાય આપવા માંગે છે, તો તેમનુ સ્વાગત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર