અમદાવાદ : આપણા સૌર મંડળમાં સુરજના મહત્વથી લગભગ દરેક વ્યક્તિ પરિચિત છે. તેના વગર જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વિચારો જો અચાનક સુરજ ગાયબ તઇ જાય તો શું થશે ? તેનો જવાબ આપણે સુરજની ઉપયોગીતાથી મળી શકે છે. સૌરમંડલનાં તમામ ગ્રહો સુર્યની પરિક્રમા કરે છે. જેનો પથ નિશ્ચિત હોય છે. પરિક્રમા કરવાનું મુખ્ય કારણ સુરજની તરફથી ગ્રહોને પોતાની તરફ ખેંચનારી શક્તિ છે. જો કે ગતિશીલ હોવાનાં કારણે તેઓ સુરજ પર પડતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મારી અંતિમ ચૂંટણી, સંગઠન માટે કરવા માંગુ છું કામ: હેમા માલિનીનું ઉમેદવારી બાદ મોટુ નિવેદન

જો ગ્રહોની ગતિને અટકાવી દેવામાં આવે તો સુરજની તરફ ખેંચાઇ જશે અને તેમાં પડી જશે. તેના કારણે તેનું અસ્તિવ જ ખતમ થઇ જશે. તેનું પરિણામ આપણી ધરતી માટે ખુબ જ ગંભીર થઇ શકે છે. કલ્પના કરીએ તો કોઇ અજાણ્યા કારણોથી આપણો સુરજ અચાનક ગાયબ થઇ જાય તો તમામ ગ્રહ, ક્ષુદ્રગ્રહ, ધુમકેતુ અને જે કાંઇ પણ સુર્યની પરિક્રમા કરી રહ્યા છે તે પોતાની આગળની ગતીને જાળી રાખે. પરંતુ તેઓ તેમાં પડી જવાનાં બદલે અંતરિક્ષમાં એક સીધી રેખામાં ઉડી જશે. 


ઉર્મિલા માતોડકર કોંગ્રેસમાં જોડાય તેવી વકી, પુનરાવર્તિત થશે 2009નો ઇતિહાસ ?
અમારી સરકાર આવશે તો દરેક ગરીબના 'બેંક ખાતા'માં પ્રતિવર્ષ 72 હજાર અપાશે: રાહુલ ગાંધી


જાણો શું થશે અસર...
1. તેના કારણે કેટલાક ગ્રહો ગુરૂત્વાકર્ષણના કારણે એક બીજા સાથે જોડાઇ શકે છે અથવા પછી તેમાં જોરદાર અથડામણ થઇ શકે છે. 
2. સંભાવના એવી પણ છે કે તમામ ગ્રહ સૌર અંતરિક્ષમાં એક સીધી રેખામાં ચાલતા આપણા સૌર મંડળથી બહાર જતા રહેશે. 
3. અમારી ધરમી ગરમીને સારી રીતે જાળવી રાખે છે એલા માટે જીવન તુરંત જ તો ખતમ નહી થાય.
4. જેમ જેમ પૃથ્વી ઠંડી થતી જશે ધરતીથી જીવોનું અસ્તિત્વ જ ખોવાતું જશે. 
5. ધરતી પર ઠંડી ઝડપથી વધશે. 
6. સુર્યના વિકિરણ ઘટવાના કારણે સંભાવના ખતમ થઇ જશે. થોડા જ દિવસોમાં તાપમાન શુન્યથી 100 ડિગ્રી નીચે જતું રહેશે. 
7. પૃથ્વી પર સુક્ષ્મ જીવો સિવાય કોઇ પણ જીવનું શક્ય નહી બને. આ જીવ પણ ધરતીની ગરમીથી જ જીવિત રહી શકે છે.