નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ને લઈને ઉચ્ચ સ્તરની બેઠક કરી રહ્યાં છે. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval) કેન્દ્રીય ગૃહ સચિવ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ સામેલ છે. JKમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો હટાવાયા બાદ પાકિસ્તાન દ્વારા વારંવાર રાજ્યની શાંતિ ડહોળવાના પ્રયત્નો થવા છતાં 40 દિવસ પછી પણ સુરક્ષા દળોએ સ્થિતિ પર નિયંત્રણ રાખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય પ્રશાસન અને સેનાના જણાવ્યાં મુજબ નાગરિકો પર છૂટા છવાયા આતંકી હુમલાઓ અને પથ્થરબાજીની કેટલીક ઘટનાઓને બાદ કરતા કાશ્મીર ઘાટીમાં શાંતિપૂર્ણ સ્થિતિ રહી છે. સંસદે 6 ઓગસ્ટના રોજ બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને આપેલો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો હતો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજન કરી દીધુ હતું. 


કેન્દ્રના આ ઐતિહાસિક નિર્ણય બાદ હિંસાના ડરે જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રીતે સુરક્ષા વધારાઈ હતી. જેમાં કેન્દ્રીય અર્ધસૈનિક દળોના 28000 વધુ જવાનો તહેનાત કરાયા હતાં. અનેક પ્રતિબંધો લાગુ કરાયા હતાં, જો કે મોટાભાગના પ્રતિબંધો હટાવી દેવાયા છે. પરંતુ સુરક્ષા દળોએ શાંતિ ભંગ કરવાના પ્રયત્નોની મોટી ઘટનાઓ ઘટવા દીધી નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...